વિવેકીને આ સંસારની સ્થિતિ મનોમય (મનથી બનેલ કે સ્વપ્ન જેવી) ભાસે છે અને પરમાત્માની અંદર આરોપિત થયેલી છે એમ તેને જણાય છે.જ્ઞાનનો ઉદય થતાં તેને જગતની સ્થિતિ કે અહંકાર-એ કશું પણ દેખાતું નથી.
તેનું શરીર જો કે પ્રારબ્ધનો નાશ થતા સુધી આભાસ-રૂપે બીજાઓની નજરે આવે છે,
પરંતુ તેની અંદરની સ્થિતિ કોઈ અપૂર્વ જ હોય છે.જેમ,સાતમી ભૂમિકામાં આરૂઢ થયેલો સમાધિ-નિષ્ઠ પુરુષ,જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિના સ્વભાવને જાણતો નથી,તેમ પરિપક્વ જ્ઞાનવાળો પુરુષ પણ લોકોત્તર સ્થિતિને પહોંચી ગયેલ હોવાથી જગતની સત્તા-અસત્તાને જોતો નથી.
પરંતુ તેની અંદરની સ્થિતિ કોઈ અપૂર્વ જ હોય છે.જેમ,સાતમી ભૂમિકામાં આરૂઢ થયેલો સમાધિ-નિષ્ઠ પુરુષ,જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિના સ્વભાવને જાણતો નથી,તેમ પરિપક્વ જ્ઞાનવાળો પુરુષ પણ લોકોત્તર સ્થિતિને પહોંચી ગયેલ હોવાથી જગતની સત્તા-અસત્તાને જોતો નથી.