જેમ,કોઈ મુસાફર,પોતાની ઉપાડવાની અશક્તિને લીધે,મુસાફરીમાં જરૂરી એવાં વાસણો-વગેરેને લેતો નથી અને તેમને ત્યાં (ઘેર) જ છોડી દે છે,તેમ,વિરક્ત પુરુષ,સ્ત્રી,પુત્ર,બંધુ,મિત્ર વગેરેને ભાર-રૂપ સમજે છે છતાં, શક્તિ અને સમય અનુસાર તેમની સેવા પણ કરતા રહે છે.પોતાનું ચિત્ત શાંત હોવાને લીધે,વિષયો-ભોગો-વગેરે તે વિવેકીના અનુભવમાં આવતા જ નથી.કારણકે તેમનામાં તેને આસક્તિ જ હોતી નથી.
શાંતિમાં રહીને,પોતાની મેળે જ તે વિવેકી,પરમપદમાં શાંતિ લે છે.