Nov 13, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-979

જેમ,કોઈ મુસાફર,પોતાની ઉપાડવાની અશક્તિને લીધે,મુસાફરીમાં જરૂરી એવાં વાસણો-વગેરેને લેતો નથી અને તેમને ત્યાં (ઘેર) જ છોડી દે છે,તેમ,વિરક્ત પુરુષ,સ્ત્રી,પુત્ર,બંધુ,મિત્ર વગેરેને ભાર-રૂપ સમજે છે છતાં, શક્તિ અને સમય અનુસાર તેમની સેવા પણ કરતા રહે છે.પોતાનું ચિત્ત શાંત હોવાને લીધે,વિષયો-ભોગો-વગેરે તે વિવેકીના અનુભવમાં આવતા જ નથી.કારણકે તેમનામાં તેને આસક્તિ જ હોતી નથી.
શાંતિમાં રહીને,પોતાની મેળે જ તે વિવેકી,પરમપદમાં શાંતિ લે છે.

Nov 12, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-978

આત્માના સ્વરૂપને ઓળખી ગયેલા (અને જેથી જડતાથી રહિત થયેલા) એ વિવેકી પુરુષને અંદર,સહુ પ્રથમ સંસાર પ્રત્યે વૈરાગ્ય જ ઉત્પન્ન થાય છે,અને પછી તે સત્સંગતિનો આશ્રય કરે છે.સત્સંગતિ વડે ઉદાર બુદ્ધિવાળો થયેલ તે મહાન પુરુષ શાસ્ત્ર-વિચાર અને શાસ્ત્રમાં બતાવેલ શમ-દમ-આદિ ગુણોમાં નિમગ્ન રહે છે.
તેવા વિવેકી પુરુષને પ્રથમ તો દ્રવ્ય (ધન) લેવાની (કમાવાની) ઈચ્છા પર વિરામ થઇ જાય છે
અને ઈશ્વરે,પોતાને જે કંઈ આપેલ હોય તેટલાથી જ સંતોષ પામે છે.

Nov 11, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-977

(૪૭) મોક્ષના સાધનો અને વૈરાગ્યની પ્રાપ્તિ
વસિષ્ઠ કહે છે કે-સંસાર-રૂપી ભારથી ખૂબ થાકી ગયેલો અને મરણ-મૂર્છા-આદિ અનેક સંકટોમાં આળોટનારા શરીરને ધારણ કરી રહેલો -જે પુરુષ -શાંતિ મેળવવા ઈચ્છતો હોય,તેનો આ ક્રમ કહું છું તે તમે સાંભળો.
જયારે,કોઈ કારણને લીધે (અથવા વિના કારણે પણ) કોઈ પુરુષના હૃદયમાં વિવેકનો એકાદો પણ અંકુર પણ પેદા થાય છે ત્યારે તે મુમુક્ષુ પુરુષ મહાત્માઓનો (સત્સંગનો) આશ્રય લે છે અને અજ્ઞાની-જનોને દૂરથી જ છોડી દે છે.