(પથિક પોતાની પ્રિયાને કહે છે કે) તે મેઘને ઉદ્દેશીને મેં કહ્યું કે-"હે ભાઈ મેઘ,તું ગુણવાન છે,તો તને યોગ્ય એવા
અને પોતાના કંઠમાં ગુણને ધારણ કરી રહેલા ઇન્દ્રધનુષ્યને ગ્રહણ કરીને તું મારી પ્રિય પાસે જજે અને તારા
જલબિંદુઓ વાળા શીતળ પવનો વડે પ્રથમ તેને આશ્વાસન આપજે.મારી એ પ્રિયા,કોમલાંગી છે,એટલે તારી
ગાઢ ગર્જનાને જીરવી શકશે નહિ,તેથી મંદમંદ ગર્જના કરીને મારો વિરહનો સંદેશો પહોચાડવાની કૃપા કરજે."
મેઘને મેં આ પ્રમાણે કહ્યું ત્યારે તારા (પ્રિયાના) વિયોગની ચિંતાથી મારી બુદ્ધિ પરવશ થઇ ગઈ.સ્મૃતિનો લોપ
થઇ જવાને લીધે મારું શરીર પરવશ બની ગયું ને મારા અંગો લાકડા જેવાં જડ થઇ ગયાં.