મુનિ કહે છે કે-હે વ્યાધ,હું તમને આ પ્રમાણે બોધ આપ્યા કરું છું પણ તમે માની લીધેલી 'જગતના સત્યપણાની ભ્રાંતિ'માં
જ તમારી બુદ્ધિ વિશ્રાંત થઇ રહી છે.જો કે તે ક્ષણવાર પ્રબોધ (વિવેક)નો ઉદય થતાં તે પરમપદમાં વિશ્રાંત થાય છે,
પરંતુ તે બુદ્ધિ હજી દૃઢ રીતે પરમપદમાં વિશ્રાંત થતી નથી.
જેમ લાકડું એ કમંડળ-આદિનો આકાર ધારણ ના કરે ત્યાં સુધી તેમાં જળ રહી શકતું નથી,
તેમ,આ બોધ પણ 'અભ્યાસ' વડે પરમ ઉત્કૃષ્ટ પરિણામને ના પામે ત્યાં સુધી,તે ચિત્તની અંદર પ્રવેશ કરતો નથી.
તેમ,આ બોધ પણ 'અભ્યાસ' વડે પરમ ઉત્કૃષ્ટ પરિણામને ના પામે ત્યાં સુધી,તે ચિત્તની અંદર પ્રવેશ કરતો નથી.