વસિષ્ઠ કહે છે કે-લુહાર બહાર જેમ ધમણ ચલાવે છે તેમ અંદર રહેલી 'ચેતન-સત્તા' જ આંતરડાંમાં વીંટાઈ રહેલી
નાડીઓના સમુહને ચલાવે છે.અને તેને અનુસરીને સર્વ લોકોની બહારની ચેષ્ટાઓ (કર્મો) પણ થાય છે.
(નોંધ-વસિષ્ઠનો અતિ ટૂંકાણમાં દીધેલ આ જવાબ વિષે અતિવિચાર થી જ તેનો પૂર્ણ અર્થ સમજી શકાય તેમ છે.
અહીં આગળ જણાવ્યા મુજબ ચેતન-સત્તા એ ચિદાકાશ-કે આકાશ-સ્વરૂપ છે-તે યાદ કરવું જરૂરી છે?!!)
રામ કહે છે કે-હે મહારાજ,શરીરની અંદર રહેલો પ્રાણવાયુ-આંતરડાં-આદિ સર્વ મૂર્તિમાન(સાકાર) છે,તો નિરાકાર
'ચેતન-સત્તા' તેને કેમ ચલાવી શકે? તે નિરાકાર ચેતન-સત્તા જો સાકાર દેહાદિને જો ઈચ્છા-માત્રથી ચલાવે તેમ થતું હોય
તો પછી તરસ્યા પથિકથી ઘણે છેટે રહેલું જળ તે પથિકની ઇચ્છાથી તેની પાસે પોતાની મેળે જ ચાલ્યું આવે!
તો પછી તરસ્યા પથિકથી ઘણે છેટે રહેલું જળ તે પથિકની ઇચ્છાથી તેની પાસે પોતાની મેળે જ ચાલ્યું આવે!
આમ,જો ઈચ્છા-માત્રથી જ સાવયવ અને નિરવયવ પદાર્થોનો સંયોગ થઇ જતો હોય તો પછી કર્મેન્દ્રિયોનું
શું પ્રયોજન રહે? એટલે હું એમ માનું છું કે-સાવયવ અને નિરવયવ પદાર્થોનો જેમ બહાર સંયોગ થતો નથી તેમ
શું પ્રયોજન રહે? એટલે હું એમ માનું છું કે-સાવયવ અને નિરવયવ પદાર્થોનો જેમ બહાર સંયોગ થતો નથી તેમ
તેમનો અંદર પણ સંયોગ થતો નથી.બાકી જો કંઈ બીજું હોય તો આપ તે વિશેનો આપનો અનુભવ મને કહો.