અને સાવ મિથ્યા છે-એટલે સ્વપ્નમાં દીઠેલા વાધની જેમ તેને જોતાં તે નિઃશેષ (મિથ્યા) થઇ જાય છે.
જેમ સ્વપ્નની અંદર એક જ જીવ ચૈતન્યનું ભાન અનેક પ્રકારે થાય છે,તેમ બ્રહ્મમાં પણ સૃષ્ટિના
આદિકાળમાં તેના એક જ તત્વનું ભાન અનેક જુદાજુદા પદાર્થોની રૂપે થઇ જાય છે.
જેમ,અનેક દીવાવાળા ઘરની અંદર રહેલ અનેક કાંતિઓ પણ એક જ જેવી ભાસે છે,
તેમ સર્વ-શક્તિમાન-પરમાત્માથી એક 'માયા-શક્તિ' અનેક રૂપે ભાસે છે.