Jul 23, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1215

વૃદ્ધ તપસ્વી (કુંદદંતને) કહે છે કે-બાકી બીજા (તમારા) જે ચાર ભાઈઓ બાકી રહ્યા હતા તેમણે ધીરપણાથી
અહીં જ તપશ્ચર્યા કરવા માંડી.સર્વે ભાઈઓનું એ જ ઇષ્ટ લક્ષ્ય હતું કે-' હું સમસ્ત સપ્તદ્વીપ-પૃથ્વીનો રાજા થાઉં'
એટલે તેમના તપ પછી પ્રસન્ન થયેલા ઇષ્ટદેવતાઓએ ઉત્તમ વરદાન આપી તે સર્વેનું ઇષ્ટ પૂર્ણ કર્યું.
હવે જેમ બ્રહ્મા,પૃથ્વીમાં ધર્મ-પ્રધાન સતયુગને ભોગવીને,પાછા બ્રહ્મ-લોકમાં જાય છે,
તેમ તમે તો હજી તપમાં જ હતાં,તેટલામાં તમારા એ ભાઈઓ પોતાના ઘેર ચાલ્યા ગયા.

Jul 22, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1214

કુંદદંત (રામને) કહે છે કે-તે તપસ્વીએ ઉપર પ્રમાણે કહ્યું,એટલે અમે બંને જણા તે મુનિ-આશ્રમમાં ગયા.
ત્યાં જઈ જોયું તો તે મહાઅરણ્ય શૂન્ય જ હતું.ત્યાં વૃક્ષ,પર્ણકુટી,ઋષિ,વેદી,દ્વિજ-આદિ કશું જોવામાં આવ્યું નહિ.
માત્ર તે અરણ્ય અતિશૂન્ય દેખાયું.ને પૃથ્વી પર મૂર્તિમંત આકાશ આવી રહ્યું હોય તેવું જણાતું હતું.
અમે બંનેએ ઘણા સમય સુધી ભ્રમણ કર્યું તો એક જગ્યાએ એક વૃક્ષ અમારા જોવામાં આવ્યું.
તેની નીચે એક વૃદ્ધ તપસ્વી સમાધિમાં વિરાજ્યા હતા.અમે બંને પણ તે વૃક્ષની છાયામાં જઈ બેઠા.

Jul 21, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1213

તે બ્રાહ્મણે કુંદદંતને કહ્યું કે-મારો જન્મ મથુરામાં થયેલો છે.પિતાના ઘરમાં મોટો થયા પછી,
પદ-પદાર્થ (શબ્દશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર) ને સમજતાં મેં જોયું કે-ખજાનાની જેમ રાજા સર્વ સુખ-સમૂહના આશ્રયરૂપ
હોય છે.તે સમયે હું નવયૌવનને લીધે ભોગની ઈચ્છા કરતો હતો તેથી 'હું પૃથ્વીપતિ અને ઉદારચિત્તવાળો થાઉં'
એવી ઘણા લાંબા સમય સુધી ઈચ્છા કરી હતી.અને તે જ પ્રયોજન માટે હું અહી આવી તપમાં પ્રવૃત્ત થયો છું.
અહીં મારાં બાર વર્ષો આમ જ ચાલ્યાં ગયાં છે.તારા પૂછેલા પ્રશ્નનો મેં જવાબ આપ્યો છે,માટે હવે ખુશીથી
તું તારા ઇષ્ટ દેશમાં ચાલ્યો જા.હું તો મારું ઇચ્છિત વરદાન મળતાં સુધી આવી જ સ્થિતિમાં દૃઢ થઇ રહીશ.