રામ : હે મહારાજ,આ કાવડિયાઓની વાર્તાથી સૂચવાતા ક્રમને હું નિઃસંદેહ પણે જાણી શકું,તેમ સમજાવો.
વસિષ્ઠ : ઉપરની કથામાં મેં જે કાવડિયાઓ કહ્યા તે આ પૃથ્વીની અંદરના મનુષ્યો છે તેમ સમજવું.
તેમનું દરિદ્રતા સંબંધી જે દુઃખ કહ્યું તે અજ્ઞાન અને તેનાથી થતા ત્રણ પ્રકારના તાપો છે.
જે મોટું જંગલ કહ્યું તે ગુરૂ અને શાસ્ત્ર-ક્રમ-આદિ છે.ઉદર-ભરણની પ્રવૃત્તિ માટે જે ઉદ્યમમાં પ્રવૃત્ત થયા તે
ભોગની ઈચ્છા રાખનાર મનુષ્યો સમજવાં.'મને નિરંતર ભોગોના સમૂહો જ પ્રાપ્ત થાઓ' એમ કૃપણ બની જઈ,
મનુષ્યો બીજા કાર્યોની અપેક્ષા રાખતા નથી અને શાસ્ત્ર-આદિ પ્રવૃત્તિમાં લીન થાય છે.