અને પાછો બોધ થઇ ગયા પછી તે દૃશ્ય કેમ ભાસતું નથી?કઈ વસ્તુનું એ રૂપ છે? ચિદાકાશનું કે કોઈ બીજાનું?
ગુરૂ : જેમ,છીપ,પોતાના ચકચકિતપણાથી રૂપાના આકારે સ્ફુરે છે,તેમ પોતાની સત્તાના બળથી,
આ સ્વચ્છ ચિદાકાશ જ જે કંઈ વિવર્ત (આભાસ કે વિલાસ) ના આકારે સ્ફુરે છે-તે જ જગતના નામે ભાસે છે,
બાકી જગત એ કોઈ બીજી વસ્તુ નથી,પણ ચિદાકાશ-રૂપ-વસ્તુનું (આભાસથી ભાસતું) એક સ્વરૂપ જ છે.
જેમ એક જ અવયવીનું સ્વરૂપ,શ્વેત (સફેદ) અને કૃષ્ણ(કાળાશ) એ બંને વડે યુક્ત હોય છે,
તેમ,પરમાત્માનું પોતાનું ચિદાકાશ-રૂપી-શરીર જ સૃષ્ટિ અને પ્રલય-એ બંને-રૂપે રહેલું છે.
વસ્તુતઃ તો તેના વિવર્તનું પ્રસરવું (સૃષ્ટિ) અને તેનું સમેટાઈ જવું (પ્રલય) એવી જ 'કલ્પના' કરવામાં આવી છે.