પૂજન કરવું જોઈએ માટે તમે આજે સર્વ બ્રાહ્મણોની કામનાને પૂર્ણ કરો.તેમ કરવાથી,આ વેદના અર્થનું
(આ મહા રામાયણનું) શ્રવણ કરવાના અનુષ્ઠાનના શાશ્વત ફળને તમે પ્રાપ્ત થશો.
વસિષ્ઠનાં વચન સાંભળી,દશરથે વેદવાદી એવા ઉત્તમ દશ હજાર બ્રાહ્મણોને દૂત દ્વારા બોલાવી,
તેમનું યથાવિધિ પૂજન કરી,ભોજન જમાડી તે સર્વની ઈચ્છા પ્રમાણે દાન-દક્ષિણા આપ્યાં.
વળી તેમણે,પિતૃઓનું,દેવતાઓનું,રાજાઓનું,નગરવાસીઓનું,અમાત્યોનું,તથા દીન,અંધ,
કૃપણ-આદિ મનુષ્યોનું પણ તે જ પ્રમાણે પૂજન-આદિ કર્યું.ને પછી મોટો ઉત્સવ કર્યો.