આ જીવ લુચ્ચો છે. કંઈક મુશ્કેલી આવે ત્યારે-રણછોડરાયજીના દર્શન કરવા જાય છે. ઘણા મંદિરમાં જઈને પણ વેપાર કરે છે.(થોડું આપી ને વધુ માગે –તેનું નામ વેપાર)
રણછોડરાયને અગિયાર રૂપિયા ભેટમાં મૂકે અને કહે છે-“હે નાથ, મેં કોર્ટમાં મારા ભાઈ સામે દાવો કર્યો છે-મારું ધ્યાન રાખજો,” ધ્યાન રાખજો એટલે-મારી જોડે કોર્ટમાં આવજો.
વકીલને ૩૦૦ આપે અને ઠાકોરજીને ૧૧ માં સમજાવે. ભગવાન કહે-કે-હું બધું સમજુ છું. હું તારા દાદાનો યે દાદો છું. શું હું વકીલ કરતાં યે હલકો?
રણછોડરાયને અગિયાર રૂપિયા ભેટમાં મૂકે અને કહે છે-“હે નાથ, મેં કોર્ટમાં મારા ભાઈ સામે દાવો કર્યો છે-મારું ધ્યાન રાખજો,” ધ્યાન રાખજો એટલે-મારી જોડે કોર્ટમાં આવજો.
વકીલને ૩૦૦ આપે અને ઠાકોરજીને ૧૧ માં સમજાવે. ભગવાન કહે-કે-હું બધું સમજુ છું. હું તારા દાદાનો યે દાદો છું. શું હું વકીલ કરતાં યે હલકો?