Nov 9, 2019

ભાગવત રહસ્ય-૧૦૪

શરીરમાં દસ ઇન્દ્રિયો છે. અને આ દરેક ઇન્દ્રિયોના વિષયો છે. જેમ કે જીભનો વિષય એ –રસ-છે.આ ઇન્દ્રિયો વિષયનું ચિંતન કરે છે,એટલે મન તેમાં ફસાય છે. મન હવે-તે વિષયોનું ચિંતન કરતાં કરતાં વિષયાકાર બને છે.
વિષયો જયારે –મન માં પ્રવેશે છે-એટલે-અહંતા,મમતા આવે છે.
મન જયારે માને છે -કે આ મારો છે-ત્યારે સુખ થાય છે, અને પછી મન તેની જોડે મમતા કરે છે, અને મનુષ્યને માર ખવડાવે છે.

Nov 8, 2019

ભાગવત રહસ્ય-૧૦૩

કેટલાક નિંદ્રા માટે ગોળી લે છે.પણ ભાગવતમાં નિંદ્રા લાવવા માટે એક સુંદર દવા આપી છે.નિંદ્રા ના આવે તો –પથારીમાં આળોટશો નહિ,પથારીમાં બેઠા થઇ,
માળા લઇ-હરે રામ,હરેકૃષ્ણ- મંત્ર નો જપ કરો.નિદ્રાદેવી જ્યાં હશે ત્યાંથી દોડતાં આવશે. કારણ –કુંભકરણની સ્ત્રીનો શાપ છે.

Nov 7, 2019

ભાગવત રહસ્ય-૧૦૨

આ શરીરને સ્પર્શ કરવાથી કાંઇ આનંદ મળતો નથી,છતાં વિવેક રહેતો નથી.
શરીરની ચામડી ઉખડી જાય –તો શરીર સામું જોવાની ઈચ્છા થશે નહિ.તેમ છતાં સ્પર્શસુખમાં માનવી સુખ માને છે.સંસારનું સુખ –દરાજ(ચામડીનો એક રોગ) ને ખંજવાળવા જેવું છે.દરાજને જેટલો વખત ખંજવાળો –ત્યારે સુખ જેવું લાગે છે.પણ ખંજવાળવાથી નખના ઝેરથી દરાજ વધે છે.