Jan 17, 2020

ભાગવત રહસ્ય-૧૬૧

હિરણ્યકશિપુ વિચારે છે કે- આ કોઈ ઉપાયે મરતો નથી. આ મને મારવા આવ્યો છે કે શું ? હિરણ્યકશિપુ ગભરાયો છે.ત્યાં શંડામર્ક આવ્યા. રાજાનો નિસ્તેજ ચહેરો જોઈ કહેવા લાગ્યા.-આ પાંચ વર્ષનો બાળક તમને શું મારી શકે ? અમે તેણે વરુણપાશમાં બાંધી રાખીશું. ચાર મહિના પછી શુક્રાચાર્ય આવવાના છે- પછી તે આજ્ઞા આપે તેમ કરજો.શંડામર્ક પ્રહલાદજીને વરુણપાશમાં બાંધી ઘેર લાવ્યા છે.

Jan 16, 2020

ભાગવત રહસ્ય-૧૬૦

યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે-કે-“હે,મૈત્રેયી,ઘર,પુત્ર,સ્ત્રી –આદિ જે પ્રિય લાગે છે-તે સુખને માટે પ્રિય લાગે છે.બાકી –પ્રિયમાં પ્રિય તો આત્મા જ છે (આત્મા વૈ પ્રેયસામ પ્રિયઃ)
પતિના પર પત્નીનો અધિક પ્રેમ હોય છે,તે પતિની કામના પૂર્ણ કરવા માટે નહિ પણ પોતાની કામના પૂરી કરવા માટે હોય છે,પતિને પત્ની અધિક પ્રિય લાગે છે, પણ તે પત્નીની કામના પૂર્ણ કરવા માટે નહિ,પણ પોતાની કામના પૂર્ણ કરવા માટે હોય છે.

Jan 15, 2020

ભાગવત રહસ્ય-૧૫૯

પ્રહલાદજીને જન્મથી જ ભક્તિનો એવો રંગ લાગેલો કે-તેમણે ભગવતસેવામાં અને ભગવત સ્મરણમાં જ આનંદ આવે છે.પુસ્તકો વાંચવાનું કે-ભણવાની ઈચ્છા થતી નથી. પણ વિચારે છે કે જો ન ભણે તો બ્રાહ્મણનું અપમાન થાય એટલે ભણવાનું 
નાટક કરે છે.પ્રહલાદે આંખમાં શ્રીકૃષ્ણને રાખ્યા છે. ગુરુ જે ભણાવે તે સાંભળે છે પણ રાજ નીતિનું ચિંતન કરતા નથી.