Feb 19, 2020

ભાગવત રહસ્ય-૧૯૪

બિલકુલ પરિચય ન હોય –અને માથું નમે તો માનજો કે એ કોઈ ઈશ્વરનો અંશ છે.
વામનજીનો કોઈને ય પરિચય નથી પણ રસ્તામાં સહુ વામન મહારાજને નમસ્કાર કરે છે.વામનજીનું પ્રાગટ્ય થયું છે-સિદ્ધાશ્રમમાં(જનકપુરી જતાં આ સિદ્ધાશ્રમ આવે છે.)
સિદ્ધાશ્રમથી વામન મહારાજ નર્મદાકિનારે ભૃગુકચ્છ નામના તીર્થમાં આવ્યા છે.
મોટો મંડપ બાંધેલો છે-વામનજી મંડપ નજીક આવ્યા છે.ભાર્ગવ બ્રાહ્મણો વેદ મંત્રો બોલી યજ્ઞમાં આહુતિ આપે છે.ત્યારે જ ચારે બાજુ પ્રકાશ પડે છે.

Feb 18, 2020

ભાગવત રહસ્ય-૧૯૩

જૈમિનીની વાત સાંભળી –વ્યાસજીએ કહ્યું –કે જે લખાણું છે તે બરાબર જ છે. તેમાં ભૂલ નથી.એક દિવસ એવું બન્યું કે –જૈમિની સંધ્યા કરી-સંધ્યાનું જળ આશ્રમ બહાર નાખવા આવ્યા.ત્યાં તેમણે એક સુંદર યુવતીને ઝાડ નીચે –વરસાદ માં ભીંજાતી ઉભેલી જોઈ.યુવતીનું રૂપ જોઈ –જૈમિની પ્રલોભનમાં પડ્યા.
જૈમિનીએ તે સ્ત્રીને કહ્યું –વરસાદમાં પલળવા કરતા ઝૂંપડીમાં અંદર આવો.આ ઝૂંપડી તમારી જ છે.

Feb 17, 2020

ભાગવત રહસ્ય-૧૯૨

વામનજી મહારાજને જનોઈ આપવામાં આવે છે-સૂર્યનારાયણ ગાયત્રીનો મંત્ર આપે છે. માતા અદિતિએ લંગોટી આપી છે.ધરતીએ આસન-બ્રહ્માએ કમંડળ-સરસ્વતીએ જપ કરવા માળા-અને કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું છે.
આજથી ત્રિકાળ સંધ્યા (ત્રણ કાળે સંધ્યા) કરવાની એવો આદેશ થયો છે.