Mar 10, 2020

ભાગવત રહસ્ય-૨૧૦

અંબરીશ રાજા –દુર્વાસાને કહે છે-કે-તેરસ પહેલાં પારણાં કરવાનું મારું વ્રત છે,માટે જલ્દી પધારજો.દુર્વાસા સંધ્યાપૂજા કરવા ગયા છે.જમનાજીના કિનારે  આવી,
સ્નાનવિધિ પતાવી અને પૂજામાં એવા તન્મય થયા છે-કે-સમયનું ભાન રહ્યું નથી. દુર્વાસાએ જાણી જોઈને વિલંબ કર્યો નથી.આ બાજુ અંબરીશ ચિંતામાં છે,
બ્રાહ્મણને જમવાનું આમંત્રણ આપ્યું છે,બ્રાહ્મણને જમાડ્યા પહેલાં જમાય નહિ,

Mar 5, 2020

ભાગવત રહસ્ય-૨૦૯

એકાદશીનું વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે.ભગવાનની આરાધના માટે – મનુષ્ય ભાગવત વ્રત કરે –તો-તે સુખી થાય છે.આમે ય વૈજ્ઞાનિક કારણોસર પણ -પેટને (જઠરને)-મહિનામાં એક-બે દિવસ –રજા આપવાથી.શરીર નું સ્વાસ્થ્ય સારું રહે છે.(અને આવા જ કારણોસર આવા વ્રત બનાવવામાં આવ્યા હશે!!)
એકાદશીનું વ્રત ત્રણ દિવસનું બતાવ્યું છે,

Mar 4, 2020

ભાગવત રહસ્ય-૨૦૮

અંબરીશ શબ્દનો જરા વિચાર કરો-અંબર એટલે આકાશ અને ઈશ એટલે ઈશ્વર. આકાશ એ શરીરની અંદર પણ છે અને બહાર પણ છે.જેના અંદર બહાર સર્વે ઠેકાણે ઈશ્વર છે-તે અંબરીશ.જેને ચારે બાજુ પરમાત્મા દેખાય તે અંબરીશ.
જ્ઞાનમાર્ગમાં ઇન્દ્રિયરૂપી દ્વારને બંધ રાખવા પડેછે, 
જયારે ભક્તિમાર્ગમાં એક એક ઇન્દ્રિયને ભગવાનના માર્ગમાં લગાવવી પડે છે.