Aug 7, 2020

Hathyog-Pradipika-Gujarati book-As It Is


ભાગવત રહસ્ય -૩૫૪

શ્રીકૃષ્ણ બાલ મિત્રોને કહે છે-કે-મારે આજે બળદગાડાની લીલા કરવી છે.એટલે હું બંધાયો છું.બાળમિત્રો પૂછે છે કે- લાલા,બળદગાડાની લીલા એટલે શું ?
કનૈયો સમજાવે છે કે-બળદગાડાની લીલામાં હું બળદ થઈશ અને ખાંડણીયું થશે ગાડું. હું ખાંડણીયાને બળદગાડાની જેમ ખેંચીશ.દામોદર –શ્રીકૃષ્ણે વિચાર કર્યો કે હું બંધનમાં આવીશ પણ અનેક જીવોને બંધનમાંથી મુક્ત કરીશ.

Aug 6, 2020

ભાગવત રહસ્ય -૩૫૩

સુરદાસજીએ પણ લાલાજીને પ્રેમથી કીર્તન કરીને હૃદયમાં બાંધ્યા હતા.કહેવાય છે કે-સુરદાસજી જયારે કીર્તન કરતા ત્યારે બાલકૃષ્ણલાલ જાતે આવીને સાંભળતા હતા.
સુરદાસજીના ઇષ્ટદેવ “બાલકૃષ્ણલાલ” છે.એક દિવસ સુરદાસજી ચાલતા જતા હતા તે વખતે તેઓ રસ્તામાં એક ખાડામાં પડી ગયા.આંખે અંધ એટલે હવે ખાડામાંથી બહાર કેવી રીતે નીકળે ? તેઓ શ્રીકૃષ્ણનું સ્મરણ કરે છે.