સ્કંધ-૧૦
(પૂર્વાર્ધ)-૭૬
કહેવાય
છે કે-સુરદાસજી જયારે કીર્તન કરતા ત્યારે બાલકૃષ્ણલાલ જાતે આવી ને સાંભળતા હતા.
સુરદાસજી
ના ઇષ્ટદેવ “બાલકૃષ્ણલાલ” છે.
એક
દિવસ સુરદાસજી ચાલતા જતા હતા તે વખતે તેઓ રસ્તા માં એક ખાડા માં પડી ગયા.
આંખે
અંધ એટલે હવે ખાડા માંથી બહાર કેવી રીતે નીકળે ? તેઓ શ્રીકૃષ્ણ નું સ્મરણ કરે છે.
શ્રીકૃષ્ણ
ને દયા આવી અને ગોપબાળ નું રૂપ ધારણ કરી ત્યા આવ્યા અને સુરદાસજી નો હાથ પકડી
તેમને બહાર કાઢે છે. શ્રીકૃષ્ણ ના કોમળ હાથના સ્પર્શ થી સુરદાસજી ને લાગ્યું કે –આ
સાક્ષાત ભગવાન હોવા જોઈએ. સુરદાસજી પૂછે છે –કે-તમે કોણ છે ?
શ્રીકૃષ્ણે
જવાબ આપ્યો કે-હું તો નંદગામ ના એક ગોવાળ નો છોકરો છું.
એમ
કહી શ્રીકૃષ્ણ સુરદાસજી નો હાથ છોડી ને ત્યાંથી છટકવાની તૈયારી કરે છે..
સુરદાસજી
ખબર પડી ગઈ કે આ તો સાક્ષાત શ્રીકૃષ્ણ જ મદદ માટે આવ્યા છે,
તે
શ્રીકૃષ્ણ નો ફરીથી હાથ પકડવા જાય પણ શ્રીકૃષ્ણ તેમના હાથ માં આવતા નથી.
સુરદાસજી
કહે છે-કે-આપ સર્વજ્ઞ ઈશ્વર છો,હું અજ્ઞાની જીવ છું.તમે મને છોડી ને ના જાવ.
પણ
હવે શ્રીકૃષ્ણ તેમને ફરીથી હાથ આપતા નથી,
ત્યારે
સુરદાસજી બોલી ઉઠયા કે-
“હાથ
છુડાકે જાત હો,નિર્બલ જાન કે મોહિ, જાઓગે જબ હૃદયસે,સબલ કહુંગો તોહિ”
હું
નિર્બળ છું,અંધ છું અને ફરીથી તમારો હાથ પકડી નથી શકતો કે તમારી પાછળ પડી શકતો
નથી,
એટલે
મારો હાથ છોડી ને તમે નાસી જાવ છો, પણ તમે સાચે સાચ બળવાન હો –તો મારા હૃદયમાંથી
નાસીને
બતાવો તો ખરા. હૃદય માં પ્રેમ થી મે એવા પકડી ને રાખ્યા છે-બાંધ્યા છે કે-તમે
ત્યાંથી કદી પણ
છટકી
શકશો નહિ.
દામોદરલીલા
નાં વર્ણન માં મહાપ્રભુજી અતિ પ્રેમ થી પાગલ સરીખા બન્યા છે.
તેઓ
લખે છે કે-જ્ઞાન અને તપ પર ભક્તિ નો (યશોદાજી નો) આ વિજય છે.
જ્ઞાન
અને તપ,ભગવાન ને બાંધી શકે નહિ.તપસ્વીઓ તપ ના પ્રતાપે ,પરમાત્મા નાં દર્શન કરી
શકે,પણ-
પરમાત્મા
ને બાંધી શકે નહિ.
જ્ઞાનીઓ
પરમાત્મા ને ઓળખી શકે,બ્રહ્મચિંતન કરતાં બ્રહ્મમય થાય,પણ
પરમાત્મા
ને બાંધી શકે નહિ.
માત્ર
વિશુદ્ધ ભક્તિ જ ભગવાન ને બાંધી શકે.
તેથી
તો ભગવાન કહે છે-કે-હું મુક્તિ આપું છું,અનન્ય ભક્તિ નહિ,ભક્તિ આપું તો મારે
બંધાવું પડે.
બાલકૃષ્ણલાલ
યશોદાને કહે છે-કે-મા મને છોડ,મા મને છોડ.હું ફરીથી આવું નહિ કરું.
મા
ને આજે દુઃખ થયું છે,લાલા ને બાંધવું તેમને પણ ગમ્યું નથી, પણ શું કરે ? લાલા ને
ચોરી કરવાની આદત પડી છે તે છોડાવવી છે.કલાક બે કલાક બાંધી પછી તેને છોડી ને મનાવીશ
અને જમાડીશ એટલે
લાલો
બધું ભૂલી જશે. એમ વિચારી તે રસોડા માં ગયા છે. તન છે રસોડા માં પણ મન છે લાલા
પાસે.
આજે
કોઈ બાળકો ઘેર ગયાં નથી, બાળકો વિચારે છે કે અમારે લીધે લાલા ને બંધાવું પડ્યું.
બાળકો
લાલા ને પૂછે છે કે-લાલા તને કંઈ દુઃખ થાય છે ? મા તને ક્યારે છોડશે ?
કનૈયો
કહે છે કે –મને કોઈ દુઃખ થતું નથી,હું તો ખોટું ખોટું રડતો હતો. હું તો ગમ્મત કરું છું.
લાલા
ને થયું કે જો હું બાળમિત્રો ને કહીશ કે મને પરિશ્રમ થાય છે તો બાળકો દુઃખી થશે.
એટલે
કહે છે કે મને કંઈ દુઃખ થતું નથી.
ભક્તો
જેમ સાવધાન રહે છે-કે મારા ઠાકોર જી ને કોઈ પરિશ્રમ નાં થાય તેમ ઠાકોરજી પણ સાવધાન
રહે છે કે-મારા ભક્તો ને પરિશ્રમ ના થાય.
ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત