શ્રીકૃષ્ણ માટે એકાંતમાં જે રડે છે,તેને શ્રીકૃષ્ણ આવીને મળે છે. હસનારને કનૈયો મળતો નથી.પ્રભુનો આ સ્વભાવ છે,કે જે જીવ તેમને માટે રડે છે તેમને માટે તે દોડતા આવે છે.યશોદાજી રડે છે,લાલાએ આ જોયું અને તેમનાથી આ સહન ના થયું,એટલે દોડતા ગયા છે.લાલાજી મા ની ગોદ માં બેઠા છે અને પીતાંબરથી મા ના આંસુ લૂછે છે. મા એ પણ પ્યાર કર્યો છે.
Aug 10, 2020
Aug 8, 2020
ભાગવત રહસ્ય -૩૫૫
આ અનિત્ય એવા શરીરથી –નિત્ય એવા પરમેશ્વરને પ્રાપ્ત કરી શકાય છે.આ શરીર પરમાત્માના કાર્ય માટે છે.પ્રભુએ તે કૃપા કરીને આપ્યું છે.પણ મદમાં અંધ થયેલાઓને કોઈ ભાન નથી.નારદજીને દુઃખ થયું અને દયા પણ આવી કે આ લોકોને સન્માર્ગે વાળું.અને આશીર્વાદ જેવો શાપ આપ્યો કે-તમે ઝાડ થશો.આ બંને યક્ષો મદથી આંધળા,સ્ત્રીલંપટ અને અજીતેન્દ્રિય બન્યા છે માટે તેઓ સ્થાવરપણું પામવાને યોગ્ય છે.માટે તેવા ભોગીઓને ઝાડ તરીકે જન્મ મળે એવો શાપ આપ્યો છે.શાપ સાંભળી નળકુબેર અને મણીગ્રીવ ને પશ્ચાતાપ થયો અને નારદજીને શરણે આવ્યા.
Subscribe to:
Posts (Atom)