ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
સ્કંધ-૧૦
(પૂર્વાર્ધ)-૭૮
આ
શરીર પરમાત્મા ના કાર્ય માટે છે.પ્રભુએ તે કૃપા કરીને આપ્યું છે.પણ મદ માં અંધ
થયેલા ઓને કોઈ ભાન નથી.નારદજી ને દુઃખ થયું અને દયા પણ આવી કે આ લોકો ને સન્માર્ગે
વાળું.અને
આશીર્વાદ જેવો શાપ આપ્યો કે-તમે ઝાડ થશો.
આ
બંને યક્ષો મદ થી આંધળા,સ્ત્રીલંપટ અને અજીતેન્દ્રિય બન્યા છે માટે તેઓ સ્થાવરપણું
પામવાને યોગ્ય છે.માટે તેવા ભોગીઓ ને ઝાડ તરીકે જન્મ મળે એવો શાપ આપ્યો છે.શાપ
સાંભળી નળકુબેર અને મણીગ્રીવ ને પશ્ચાતાપ થયો અને નારદજી ને શરણે આવ્યા.
નારદજીએ
કૃપા કરી ને તેમને ગોકુળમાં નંદ બાબા ના ઘરના આંગણામાં ઝાડનો અવતાર થશે અને
શ્રીકૃષ્ણ
ના ચરણ નો સ્પર્શ થતા મુક્તિ થશે તેવા આશીર્વાદ પણ આપ્યા.
ઉદ્ધવ
જેવા મહાપુરુષ પણ વૃંદાવન માં ઝાડ-લતાનો અવતાર માગે છે, એટલે નારદજી નો આ શાપ નથી
એને
આશીર્વાદ જ ગણાય.
તે
નળકુબેર અને મણીગ્રીવ નંદબાબા ના આંગણામાં ઝાડ થયેલા ને શ્રીકૃષ્ણ ખાંડણી ને
ખેંચતા ખેંચતા
આવ્યા
ત્યારે તેમના ચરણ નો સ્પર્શ થતાં તે ઝાડ માંથી બે પુરુષો બહાર આવ્યા છે.
શ્રીકૃષ્ણે
નળકુબેર અને મણીગ્રીવ નો ઉદ્ધાર કર્યો છે.
ઝાડ
પડવાનો અવાજ સાંભળી ગોપીઓ દોડતી આવી તેમને આશ્ચર્ય થયું કે વર્ષો જુનાં આ ઝાડ
મૂળમાંથી કેવી રીતે ઉખડી ગયા ? સારું થયું કે કનૈયા ને કશું થયું નથી,નારાયણ ની
કૃપા થઇ છે.
ધડાકો
સાંભળી નંદ બાબા દોડતા આવ્યા,અને જોયું તો કનૈયા ને ખાંડણી જોડે બાંધેલો છે.
નંદબાબા
ની આંખો ભીની થઇ છે. “અનેક બાધાઓ રાખ્યા પછી દીકરો થયો પણ એની મા ને કદર નથી.”
તેમણે
કનૈયા ને છોડ્યો છે.અને કનૈયા ને કહે છે-કે- બેટા તારી માએ તને બાંધ્યો હતો અને મે
તને છોડ્યો છે.બોલ હવે તું કોનો દીકરો ?
કનૈયો
કહે છે કે- આજ સુધી હું મા નો હતો પણ આજથી હું તમારો દીકરો.
પહેલાં
રોજ જયારે નંદબાબા કનૈયા ને પૂછે કે-લાલા તું કોનો દીકરો?ત્યારે કનૈયો કહે કે- હું
મા નો દીકરો.
પણ
આજે જયારે લાલાએ કહ્યું કે –હું તમારો દીકરો છું. એટલે નંદબાબા ને આનંદ થયો છે.
નંદ
બાબા ની ઈચ્છા હતી કે –લાલો એક વાર કહે કે- હું તમારો દીકરો છું.તે ઈચ્છા પૂર્ણ થઇ
છે.
નંદજી
એ યશોદા ને ઠપકો આપ્યો છે.”તને વિવેક
નથી.લાલા ને કેમ બાંધ્યો?”
યશોદા
રડવા લાગ્યાં.”જે આવે છે તે મને જ ઠપકો આપે છે,મારી ક્યાં ઈચ્છા હતી કે લાલાને
બાંધું,
પણ
તેને ચોરી કરવાની આદત પડી છે તે છોડાવવી છે,એટલે પ્રેમ થી તેને બાંધ્યો હતો.હું
તેની મા છું,
મા
બાળકને ના સુધારે તો તેને કોણ સુધારે ?”
યશોદા,
લાલા ને બોલાવે છે-“બેટા અહીં આવ”
કનૈયો
હવે જવાબ આપે છે-કે –હું નહિ આવું,હું તો નંદબાબા નો દીકરો છું.
યશોદા
લાલાને બોલાવે છે પણ લાલો તેમની જોડે જતો નથી.
યશોદા
વિચારે છે-કે-“ગોપીઓ રડતી હતી,બાળકો રડતાં હતા અને લાલા ને બંધાવાની ના પાડતાં
હતાં
પણ
નિષ્ઠુર થઇ ને મે લાલા ને બાંધ્યો,તે યોગ્ય થયું નથી,મારો લાલો મારાથી રિસાયો છે,
મારો
લાલો મારા ગોદમાં ક્યારે આવશે ? “ યશોદા મા રડે છે. લાલાએ તે જોયું.
ભક્ત
રડે તે પરમાત્મા થી સહન થતું નથી.કોઈ પણ જીવ પરમાત્મા માટે જયારે રડે છે ત્યારે
પરમાત્મા ને દયા આવે છે.શ્રીકૃષ્ણ પ્રેમ કરે છે તેવો પ્રેમ દુનિયા માં બીજો કોઈ
કરી શકે નહિ.
ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત