Sep 6, 2020
ભાગવત રહસ્ય -૩૮૩
કનૈયો કહે છે-કે-બાબા,ગોવર્ધનનાથ આપણા બધાનું રક્ષણ કરે છે.ગોવર્ધનનાથે મને ઘણી વાર દર્શન આપ્યા છે.નંદબાબા પૂછે છે કે-લાલા,તને ગોવર્ધનનાથનાં દર્શન ક્યારે થયેલાં? શ્રીકૃષ્ણે કહ્યું કે-બાબા, એક વખત વનમાં મને બે વાઘ મળ્યા.હું તો ગભરાયો.
ત્યારે ગિરિરાજમાંથી ચાર ભુજા વાળા દેવ બહાર આવ્યા,અને બંને વાઘને મારી નાંખ્યા.અને મારે માથે હાથ મૂકી કહ્યું કે-“તું ગભરાતો નહિ,હું તારું રક્ષણ કરું છું.”
બાબા,મારો ગોવર્ધનનાથ જીવતી જાગતી જ્યોત છે,તેમની તમે પૂજા કરો,તે બધાને દર્શન આપશે.
ત્યારે ગિરિરાજમાંથી ચાર ભુજા વાળા દેવ બહાર આવ્યા,અને બંને વાઘને મારી નાંખ્યા.અને મારે માથે હાથ મૂકી કહ્યું કે-“તું ગભરાતો નહિ,હું તારું રક્ષણ કરું છું.”
બાબા,મારો ગોવર્ધનનાથ જીવતી જાગતી જ્યોત છે,તેમની તમે પૂજા કરો,તે બધાને દર્શન આપશે.
Sep 5, 2020
ભાગવત રહસ્ય -૩૮૨
ગોવર્ધનલીલા એ રાસલીલા પહેલાં આવે છે.ગોવર્ધનલીલામાં પૂજ્ય (જેની પૂજા કરાય છે તે) અને પૂજક (જે પૂજા કરે છે તે) એક બને છે.પૂજા કરનાર શ્રીકૃષ્ણ અને જેની પૂજા થાય છે (ગિરિરાજ) તે પણ શ્રીકૃષ્ણ.(ભગવાને પોતે ગિરિરાજમાં પ્રવેશ કરેલો છે)
પૂજ્ય અને પૂજક (આત્મા અને પરમાત્મા) એક ના બને ત્યાં સુધી આનંદ આવતો નથી. અદ્વૈત (એક) નું આ પહેલું પગથિયું છે.
પૂજ્ય અને પૂજક (આત્મા અને પરમાત્મા) એક ના બને ત્યાં સુધી આનંદ આવતો નથી. અદ્વૈત (એક) નું આ પહેલું પગથિયું છે.
Subscribe to:
Posts (Atom)