ગિરિરાજના શિખર પર પ્રગટ થયેલા ચતુર્ભૂજ નારાયણે હાથ લંબાવી અને એક એક છાબડી ઉઠાવીને સામગ્રી ખાવા લાગ્યા.ત્યારે ગોપબાળકો બોલી ઊઠયાં કે-લાલા,યે તો ખા રહો હય,યે તો ખા રહો હય. નંદબાબા અને વ્રજવાસીઓ બોલી ઉઠયા કે-લાલા ના ઠાકોરજી તો જીવતી જાગતી જ્યોત છે.શ્રીકૃષ્ણે કહ્યું-કે-સામગ્રી પુષ્કળ છે અને ઠાકોરજીને આરોગતાં વાર લાગશે.ચાલો આપણે ત્યાં સુધી કિર્તન કરતાં કરતાં,ગિરિરાજની પરિક્રમા કરીએ.
Sep 9, 2020
Sep 8, 2020
Sep 7, 2020
ભાગવત રહસ્ય -૩૮૪
શ્રીકૃષ્ણે જેવી ગોવર્ધનનાથને પ્રાર્થના કરી –તે જ સમયે ગિરિરાજમાંથી ખળખળ કરતાં ગંગાજી પ્રગટ થયાં છે.(ગિરિરાજ ની પરિક્રમામાં માનસી ગંગા આવે છે) ગોપબાળકો બોલવા લાગ્યાં “કનૈયા આ તો નદી નીકળે છે.”
કનૈયો સમજાવે છે કે-આ સામાન્ય નદી નથી.આ તો ગંગાજી છે.
ગોવર્ધનનાથનો અભિષેક થયો છે.અભિષેકમાં ધારાનું ખંડન ના થવું જોઈએ.કનૈયો સમજાવે છે કે-આ સામાન્ય નદી નથી.આ તો ગંગાજી છે.
ખંડન થાય તો અભિષેકમાં ભંગ થાય છે.તેમ ઠાકોરજીની પૂજામાં પણ સાવધાન રહેવાનું છે,મનની ધારા ખંડિત ના થાય.મન ઠાકોરજીથી દૂર ના જાય.
Subscribe to:
Posts (Atom)