Sep 9, 2020

ભાગવત રહસ્ય -૩૮૬

ગિરિરાજના શિખર પર પ્રગટ થયેલા ચતુર્ભૂજ નારાયણે હાથ લંબાવી અને એક એક છાબડી ઉઠાવીને સામગ્રી ખાવા લાગ્યા.ત્યારે ગોપબાળકો બોલી ઊઠયાં કે-લાલા,યે તો ખા રહો હય,યે તો ખા રહો હય. નંદબાબા અને વ્રજવાસીઓ બોલી ઉઠયા કે-લાલા ના ઠાકોરજી તો જીવતી જાગતી જ્યોત છે.શ્રીકૃષ્ણે કહ્યું-કે-સામગ્રી પુષ્કળ છે અને ઠાકોરજીને આરોગતાં વાર લાગશે.ચાલો આપણે ત્યાં સુધી કિર્તન કરતાં કરતાં,ગિરિરાજની પરિક્રમા કરીએ.

Sep 8, 2020

ભાગવત રહસ્ય -૩૮૫

ભગવાન ના ત્રણ સ્વરૂપો છે.
(૧) આધિભૌતિક સ્વરૂપ- આ જે ગોવર્ધનનાથ (ઠાકોરજી) રૂપે જે દેખાય છે તે-
(૨) અધ્યાત્મ સ્વરૂપ- સર્વમાં ઠાકોરજી (ભગવાન) રહેલા છે (આત્મારૂપે) તે 
(૩) આધિદૈવિક સ્વરૂપ-ખૂબ સેવા-સ્મરણ કરવામાં આવે ત્યારે ભગવાન આધિદૈવિક-રૂપે પ્રગટ થાય છે.

Sep 7, 2020

ભાગવત રહસ્ય -૩૮૪

શ્રીકૃષ્ણે જેવી ગોવર્ધનનાથને પ્રાર્થના કરી –તે જ સમયે ગિરિરાજમાંથી ખળખળ કરતાં ગંગાજી પ્રગટ થયાં છે.(ગિરિરાજ ની પરિક્રમામાં માનસી ગંગા આવે છે) ગોપબાળકો બોલવા લાગ્યાં “કનૈયા આ તો નદી નીકળે છે.” 
કનૈયો સમજાવે છે કે-આ સામાન્ય નદી નથી.આ તો ગંગાજી છે.
ગોવર્ધનનાથનો અભિષેક થયો છે.અભિષેકમાં ધારાનું ખંડન ના થવું જોઈએ.
ખંડન થાય તો અભિષેકમાં ભંગ થાય છે.તેમ ઠાકોરજીની પૂજામાં પણ સાવધાન રહેવાનું છે,મનની ધારા ખંડિત ના થાય.મન ઠાકોરજીથી દૂર ના જાય.