Nov 15, 2020

ભાગવત રહસ્ય -૪૪૭

યશોદાજી પૂછે છે કે-ઉદ્ધવ કનૈયો,અહીં ગોકુળમાં હતો ત્યારે ખૂબ હઠ કરતો હતો,વહેલી સવારે તેને ભૂખ લાગતી ત્યારે તેને હું મનાવી મનાવી જમાડું ત્યારે તે જમતો,પણ ત્યાં તેને કોણ જમાડે છે ? ઉદ્ધવ,સાચું કહેજે,કે મારો લાલો,દુબળો તો થયો નથી ને?તે આનંદમાં તો છે ને?
મારો લાલો,મને કોઈ દિવસ યાદ કરે છે? ગોકુળમાં હતો ત્યારે મને આંસુ આવે તે તેનાથી સહન થતું નહિ.

Nov 14, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-60-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-60


ભાગવત રહસ્ય -૪૪૬

શ્રીકૃષ્ણના વિરહ માં નંદબાબા પાગલ બન્યા છે.એક એક વાત સંભાળી-સંભાળીને  ઉદ્ધવને કહે છે-આ જમુના છે,જેમાં કનૈયો જલક્રીડા કરતો હતો,આ તે જ ગિરિરાજ છે,
જે તેણે એક આંગળી પર ઉઠાવી લીધેલો,આ તે જ વન-પ્રદેશ છે જ્યાં કનૈયો ગાયોને ચરાવતો મિત્રો સાથે અનેક પ્રકારની રમતો રમતો,અને વાંસળી વગાડતો.આ બધું જોઈને મારું મન કૃષ્ણ-મય થઇ જાય છે.મને એવો ભાસ થાય છે કે મારો કનૈયો મથુરા ગયો જ નથી.