યશોદાજી પૂછે છે કે-ઉદ્ધવ કનૈયો,અહીં ગોકુળમાં હતો ત્યારે ખૂબ હઠ કરતો હતો,વહેલી સવારે તેને ભૂખ લાગતી ત્યારે તેને હું મનાવી મનાવી જમાડું ત્યારે તે જમતો,પણ ત્યાં તેને કોણ જમાડે છે ? ઉદ્ધવ,સાચું કહેજે,કે મારો લાલો,દુબળો તો થયો નથી ને?તે આનંદમાં તો છે ને?
મારો લાલો,મને કોઈ દિવસ યાદ કરે છે? ગોકુળમાં હતો ત્યારે મને આંસુ આવે તે તેનાથી સહન થતું નહિ.