તે
વખતે નંદ-યશોદા પણ આવ્યાં છે.તેમણે ઉદ્ધવને કહ્યું-કે અમારા લાલાને આટલો સંદેશો
આપજે.(આ
બે શ્લોકો ભાગવત નું હાર્દ છે-૧૦-૪૭-૬૬-૬૭) હવે
અમે એટલું જ ઈચ્છીએ છીએ કે,અમારા મનની એક એક વૃત્તિ,એક એક સંકલ્પ,શ્રીકૃષ્ણના ચરણ-કમળોનો જ આશ્રય કરીને રહે.વૃત્તિ
અને સંકલ્પ તેમની સેવા કરવા માટે જ ઉઠે અને તેમનામાં (શ્રીકૃષ્ણમાં)જ લાગી રહે.
અમારી
વાણી નિરંતર તેમનાં નામોનું ઉચ્ચારણ કરતી રહે,અમારું
શરીર તેમને પ્રણામ કરવામાં,તેની આજ્ઞાનું પાલન કરવામાં અને તેની સેવામાં લાગી
રહે.