Nov 19, 2020

ભાગવત રહસ્ય -૪૫૧

તે વખતે નંદ-યશોદા પણ આવ્યાં છે.તેમણે ઉદ્ધવને કહ્યું-કે અમારા લાલાને આટલો સંદેશો આપજે.(આ બે શ્લોકો ભાગવત નું હાર્દ છે-૧૦-૪૭-૬૬-૬૭હવે અમે એટલું જ ઈચ્છીએ છીએ કે,અમારા મનની એક એક વૃત્તિ,એક એક સંકલ્પ,શ્રીકૃષ્ણના ચરણ-કમળોનો જ આશ્રય કરીને રહે.વૃત્તિ અને સંકલ્પ તેમની સેવા કરવા માટે જ ઉઠે અને તેમનામાં (શ્રીકૃષ્ણમાં)જ લાગી રહે.
અમારી વાણી નિરંતર તેમનાં નામોનું ઉચ્ચારણ કરતી રહે,અમારું શરીર તેમને પ્રણામ કરવામાં,તેની આજ્ઞાનું પાલન કરવામાં અને તેની સેવામાં લાગી રહે.

Nov 18, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-62-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-62


ભાગવત રહસ્ય -૪૫૦

રાધાજી કહે છે –કે-હે,ઉદ્ધવ,તારા જ્ઞાનની કદર અહીં આ શુદ્ધ પ્રેમભૂમિ વ્રજમાં થશે નહિ.પ્રેમ-રાજ્યમાં એક માત્ર પ્રિયત્તમનું જ સ્થાન હોય.જ્ઞાન ને યોગની ચર્ચાને અહીં વ્રજ માં સ્થાન નથી.અમારું જ્ઞાન-એ કૃષ્ણ,યોગ પણ કૃષ્ણ,ધ્યાન પણ કૃષ્ણ.અમારા એક એક શ્વાસ પણ કૃષ્ણમય હોવાથી,તારા જ્ઞાન ને અમે ક્યાં રાખીશું ? મારા વ્યાપક ભગવાનને તું મથુરામાં રાખે છે તે બની શકે જ નહિ.તું છ શાસ્ત્રો ભણ્યો,પણ તને કાંઇ આવડયું નહિ,તું કોરો ને કોરો જ રહ્યો,તારું જ્ઞાન મને બરાબર લાગતું નથી,છ શાસ્ત્રો ભણ્યો પણ તેનું રહસ્ય તું સમજ્યો નથી.