“ફળની ઈચ્છા”-યુક્ત અને “અહમ”-યુક્ત (હું કર્મ કરું છું એવો અહમ)-કરાતા કર્મયોગની
યોગ્યતા-ઘણી ઓછી છે,પરંતુ-જો કુશળતાપૂર્વક –વિવેકથી-અનાસક્તિથી-કર્મયોગનું આચરણ કરવામાં આવે-તો-તે કર્મ કરતાં કરતાં જ –બુદ્ધિ(સમત્વ બુદ્ધિ-જ્ઞાન)ની પ્રાપ્તિ થાય છે.અને આ રીતે –કર્મની જે કુશળતા પ્રાપ્ત થાય છે-તે જ યોગ છે. (૫૦)