મનુષ્યનો મૂળભૂત સ્વ-ભાવ શાંત રહેવાનો છે.અને ક્યાંક ને ક્યાંક થોડો સમય તે
શાંત રહે પણ છે.પણ તેને શાંત રહેવું –જાણે કે ગમતું નથી.તેનુ અટકચાળું મન ગમે ત્યાંથી-કોઈ
એવી પ્રવૃત્તિ કે ઈચ્છા કરે છે. અને કોઈ નવી પ્રવૃત્તિ ચાલુ કરે છે-
નવી પ્રવૃત્તિ ચાલુ કરે –તેનો તો કોઈ વાંધો નથી હોતો- પણ થાય છે એવું કે –એ નવી પ્રવૃત્તિ માં –એટલો બધો મશગૂલ થઇ જાય છે (સંલગ્ન થઇ જાય છે) કે-તે પ્રવૃત્તિ અને પ્રવૃત્તિની પેદાશ (ફળ)માં આસક્ત થઇ જાય છે-અને અશાંતિની શરૂઆત થઇ જાય છે.
ટૂંકમાં મનુષ્ય જાતે જ પોતાની શાંતિની આડે અવરોધ પેદા કરી દે છે.