Jan 17, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૬

આપણા શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો છે.
નામ પ્રમાણે –જ્ઞાનેન્દ્રિયોથી જ્ઞાન મળે છે-કર્મેન્દ્રિયોથી કર્મ થાય છે.
અહીં ઇન્દ્રિયો અને તેના વિષયો સમજવા આપણે –હાલ પૂરતું–જ્ઞાનેન્દ્રિયો –વિષે જાણીએ.
પાંચ જ્ઞાનેન્દ્રિયો માં થી ચાર તો મસ્તક (માથા) માં આવેલી છે. 
અને એક ચામડી આખા શરીર પર છે.

Jan 16, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૫

મનુષ્યનો મૂળભૂત સ્વ-ભાવ શાંત રહેવાનો છે.અને ક્યાંક ને ક્યાંક થોડો સમય તે શાંત રહે પણ છે.પણ તેને શાંત રહેવું –જાણે કે ગમતું નથી.તેનુ અટકચાળું મન ગમે ત્યાંથી-કોઈ એવી પ્રવૃત્તિ કે ઈચ્છા કરે છે. અને કોઈ નવી પ્રવૃત્તિ ચાલુ કરે છે-
નવી પ્રવૃત્તિ ચાલુ કરે –તેનો તો કોઈ વાંધો નથી હોતો- પણ થાય છે એવું કે –એ નવી પ્રવૃત્તિ માં –એટલો બધો મશગૂલ થઇ જાય છે (સંલગ્ન થઇ જાય છે) કે-તે પ્રવૃત્તિ અને પ્રવૃત્તિની પેદાશ (ફળ)માં આસક્ત થઇ જાય છે-અને અશાંતિની શરૂઆત થઇ જાય છે.
ટૂંકમાં મનુષ્ય જાતે જ પોતાની શાંતિની આડે અવરોધ પેદા કરી દે છે.