Aug 5, 2021

Gujarati-Ramayan-Rahasya-34-ગુજરાતી-રામાયણ-રહસ્ય-34

ડોસાને વૃદ્ધાવસ્થામાં ખાવાનું પચતું નથી,છતાં તેને ઘડી ઘડી ખાવાનું મન થયા કરે છે.લૂલી બહુ પજવે છે.ભગવાનનું નામ મુખે આવતું નથી.અને પાછો કહે છે ”હવે ભગવાન ઉપાડી લે તો સારું” પણ એમ ને એમ ભગવાન તેને ઉપાડવા ક્યાંથી આવે ? જ્યાં સુધી બાજી આપણા હાથમાં છે ત્યાં સુધી પ્રભુને રાજી કરવામાં આવે તો બેડો પાર છે.મરણપથારીએ પડ્યા પછી જેના માટે પૈસાનું પાણી કર્યું હશે તે લોકો જ “ડોસો જલદી મરે તો સારું” એવી ઈચ્છા રાખે છે.પુત્ર-પુત્રી પણ મને કંઈ મળશે એ ઈચ્છાથી થોડી સેવા કરે છે.બધાં સ્વાર્થના સગાં આસપાસ ભેગાં થાય છે.

Aug 4, 2021

Narayana Kavach-Gujarati-Shloka and Meaning-નારાયણ કવચ-ગુજરાતી શ્લોક અને અર્થ સાથે

Gujarati-Ramayan-Rahasya-33-ગુજરાતી-રામાયણ-રહસ્ય-33

વ્યાસજી મહાભારતમાં ઉંચા હાથ કરીને કહે છે કે-
અરે,હું ઉંચા હાથ કરીને આટલી બૂમો પાડું છું,પણ તમે કોઈ સાંભળતા કેમ નથી?
મારે બહુ લાંબી વાત કરવાની નથી,કારણકે તમને લાંબુ સાંભળવાનો વખત નથી તે હું જાણું છું,
ને તમારે શું જોઈએ છે તે પણ હું જાણું છું,તમારે અર્થ અને કામ જોઈ છે ને?
તો ધર્મ નું સેવન કરો!! ધર્મ દ્વારા જ તમને અર્થ અને કામ મળશે.
(ઉર્ધ્વબાહુ.વિરૌંમૈવ્ય ન ચ કશ્ચિત શ્રુણોતી મેં,ધર્માદર્થસ્ચ કામાસ્ચ ના કિમર્થ સ સેવ્યતે?)