Sep 5, 2021

Gujarati-Ramayan-Rahasya-64-ગુજરાતી-રામાયણ-રહસ્ય-64

રામ-લક્ષ્મણ ફુલ-તુલસી લઈને વિશ્વામિત્રજી પાસે પાછા આવ્યા.ત્યારે રામજીએ વિશ્વામિત્રને કહ્યું કે-જેનો સ્વયંવર થવાનો છે તે રાજ-કન્યા પણ બગીચામાં આવી હતી.
'સરલ સ્વભાવ,છુઅત છલ નહિ' રામજીનો સ્વભાવ અતિ સરળ છે તેમનામાં લેશમાત્ર કપટ નથી,શ્રીરામની વાત સાંભળી મુનિ મલકાયા અને તેમણે કહ્યું-કે-હું બધું જાણું છું,કે સીતા ત્યાં રોજ આવે છે,એટલે જ મેં તમને ત્યાં મોકલ્યા હતા કે જેથી એ મારા રામને નિહાળે. પછી તેમણે શ્રીરામને આશીર્વાદ આપ્યા કે-તમારા મનોરથો સફળ થાઓ.

Sep 4, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-23-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-23


Gujarati-Ramayan-Rahasya-63-ગુજરાતી-રામાયણ-રહસ્ય-63

જનકરાજાના બાગની શોભા જોઈ રામ-લક્ષ્મણ અતિ પ્રસન્ન થયા.બાગમાં એક સરોવર હતું,અને તેના કિનારે શંકર-પાર્વતીનું મંદિર હતું.બંને ભાઈઓ બગીચામાં ફુલ વીણે છે.
એટલામાં બગીચામાં સીતાજી તેમના રોજના નિયમ મુજબ સખીઓની સાથે  પાર્વતીજીનાં 
દર્શન કરવા આવ્યા.માતાજીની પૂજા કરી ને પોતાને યોગ્ય વરની માગણી કરી.ત્યાં સીતાજીની એક સખી અતિ આનંદમાં દોડતી આવી,સીતાજીએ તેના હર્ષનું કારણ પૂછ્યું.

Sep 3, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-22-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-22


Gujarati-Ramayan-Rahasya-62-ગુજરાતી-રામાયણ-રહસ્ય-62

ભોજન બાદ થોડી વિશ્રાંતિ કરી,મુનિની રજા લઈને રામ-લક્ષ્મણ નગરની શોભા જોવા નીકળ્યા.બંને ભાઈઓએ પીળાં વસ્ત્રો ધારણ કર્યા છે,બેઉની ડોક સિંહ-સમાન છે,ડોકમાં માળા છે,બાહુ વિશાળ છે,નેત્રો કમળ સરખાં છે,મુખ ચંદ્રમા સમાન છે,કાનમાં કુંડળ છે ને માથે વાંકડિયા પણ સુંવાળા વાળ છે.તુલસીદાસજી એ શ્રીરામને “રૃપ,શીલ,બલધામ” કહ્યા છે.
રૂપ પ્રગટ્યું જનકપુરમાં,શીલ અયોધ્યામાં અને બળ લંકામાં.