Oct 6, 2021
Gujarati-Ramayan-Rahasya-94-ગુજરાતી-રામાયણ-રહસ્ય-94
તુલસીદાસજી કહે છે કે-તે વનવાસીઓ પર રામજીના દર્શનની,રામ-નામની એટલી બધી અસર થઇ હતી કે, લોકો કંદમૂળ-ફળ વગેરેના પડિયા ભરી ભરીને રામજીના દર્શન કરવા ચાલ્યા આવતા હતા.જાણે દરિદ્રો સોનું લુંટવા ચાલ્યા.રામ-દર્શનનું સોનું લુંટવા મળ્યું એટલે એમણે બીજી લૂંટ-ફાટ છોડી દીધી.રામચંદ્રજી પણ આ વનવાસીઓનો ખૂબ પ્રેમથી સત્કાર કરે છે,એમની સાથે હેત-પ્રીતથી વાતો કરે છે.વનવાસીઓના સુખનો-આનંદનો પાર નથી.
Oct 5, 2021
Gujarati-Ramayan-Rahasya-93-ગુજરાતી-રામાયણ-રહસ્ય-93
રામજીને જોવા,રામજીના દર્શન કરવા, સીમમાં લોકોનાં ટોળે-ટોળાં ઉભરાય છે.જે જુએ છે તે જોતાં જ રહે છે,
જાણે મોટો ખજાનો મળ્યો હોય તેવો તેમને હરખ ચડે છે.વડના ઝાડની નીચે છાયામાં પાંદડાંનું આસન બનાવીને રામજીને બે ઘડી બેસી થાક ખાવાની લોકો પ્રાર્થના કરે છે અને રામજી તે પ્રાર્થનાને સ્વીકારે પણ છે.
Subscribe to:
Posts (Atom)