Oct 15, 2021
Gujarati-Ramayan-Rahasya-102-ગુજરાતી-રામાયણ-રહસ્ય-102
લોકો ને હવે ખાતરી થઇ ગઈ કે,ભરતજી એ પ્રેમની મૂર્તિ છે, શ્રીરામ પ્રત્યેનો તેમનો પ્રેમ અજોડ છે.બધા ભાવ-વિભોર બની ગયા.અને કહેવા લાગ્યા છે કે-ધન્ય છે ભરતજીને,અને તેમના પ્રેમ ને.બધા એકી સ્વરે બોલી ઉઠયા કે-ભરતજી,તમે પણ શ્રીરામને પ્રાણ સમાન પ્રિય છો,તમે વનમાં જશો તો તમારી સાથે અમે સર્વ પણ વનમાં આવીશું અને રામજીનાં દર્શન કરીશું.
Oct 14, 2021
Gujarati-Ramayan-Rahasya-101-ગુજરાતી-રામાયણ-રહસ્ય-101
દશરથરાજાના દેહનો અગ્નિ સંસ્કાર અને ઉત્તરક્રિયા વગેરે પતી ગયા પછી,
વશિષ્ઠજીએ મંત્રીઓ,મહાજનોને બોલાવી અને સભા બોલાવી,અને સભામાં
વશિષ્ઠજીએ મંત્રીઓ,મહાજનોને બોલાવી અને સભા બોલાવી,અને સભામાં
ભરતને પોતાને પડખે બેસાડ્યો. પછી,સભામાં વશિષ્ઠજીએ ઉભા થઇ ને કહ્યું કે-
લાભ-હાનિ,જીવન-મરણ,જશ-અપજશ-વગેરે આપણા હાથની વાત નથી,તો એને
લાભ-હાનિ,જીવન-મરણ,જશ-અપજશ-વગેરે આપણા હાથની વાત નથી,તો એને
માટે કોને દોષ દેવો અને કોના પર ક્રોધ કરવો? દશરથરાજા શોક કરવાને પાત્ર નથી,
તેઓ તો શ્રીરામનું સ્મરણ કરતાં મંગલમય મૃત્યુને વર્યા છે.
એમનો રામ-પ્રેમ સત્ય છે કે,રામના વનમાં ગયા પછી,તેમના વિયોગમાં તે જીવ્યા નહી.
Oct 13, 2021
Gujarati-Ramayan-Rahasya-100-ગુજરાતી-રામાયણ-રહસ્ય-100
તે જાણે ભૂલી ગયા.અને આ સર્વ અનર્થનું કારણ પોતે છે,એ જાણી તેમના દુઃખનો પાર રહ્યો નહિ.મનમાં ભરાયેલા ગુસ્સાથી તે બોલી ઉઠયા કે-અરેરે,તેં તો કુળનો
નાશ કરી નાખ્યો,જો તારી આવી દુષ્ટ ઈચ્છા હતી તો મને જન્મતાં જ કેમ
મારી ના નાખ્યો? તેં તો ઝાડને કાપીને પાંદડાંને પાણી સીંચ્યું,મને રામ-લક્ષ્મણ
જેવા ભાઈ મળ્યા,પણ વિધિની વક્રતા છે, કે માતા તરીકે મને તું મળી.
તને મા, કહેતાં પણ મારી જીભ અચકાય છે, અરે,આવું માગતાં તારી જીભ કેમ ના તૂટી પડી?
તારા મોં મોં કીડા કેમ ના પડ્યા? તારા હૃદયના કટકા કેમ ના થયા?
Subscribe to:
Posts (Atom)