Jan 4, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૬

પછી જાંબવાને હનુમાનજી તરફ જોઈને કહ્યું કે-હે,વીર શ્રેષ્ઠ,હનુમાન તું કેમ કશું બોલતો નથી? 
હે કપિશ્રેષ્ઠ,બળમાં તો તું રામ લક્ષ્મણ જેવો છે,જન્મતાં જ તેં અદભૂત પરાક્રમ કર્યું હતું,તે બીજા ભલે ના જાણતા હોય પણ હું જાણું છું.એક વાર સૂરજને પાકેલું લાલ-ફળ સમજી ને તે ખાવા,
તું,મા ના ખોળામાંથી આકાશમાં ઉડ્યો હતો,ને છેક સૂરજની નજીક પહોંચી ગયો હતો ! 
તારું આ પરાક્રમ જોઈને ઇન્દ્રે તને હનુ (હડપચી) પર વજ્ર માર્યું ને જેથી તું પૃથ્વી પર મૂર્છિત થઈને પડ્યો હતો.હનુ (હડપચી) પર વાગ્યું તેથી તું હનુમાન કહેવાય છે.

Jan 3, 2022

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-021


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૫

ટોળીના નાયક અંગદ સાથે બધા વાનરોનું ટોળું પણ પ્રાણત્યાગ કરવાનો નિશ્ચય કરીને બેસી ગયા,એકલા,હનુમાનજી મનમાં વિચારે છે કે-આ ઠીક લાગતું નથી,આમ નિરાશ થઇ ને મરવાથી કંઈ સીતાજી જડે નહિ.એટલામાં જ એક મહા ભયંકર ગીધ,પર્વતની ગુફામાંથી ચાલીને બહાર આવ્યો,અને આટલા બધા વાનરો જોઈને તે રાજી થઇ કહેવા લાગ્યો કે-આજે તો ખાતાં ખૂટે નહિ એટલું ખાવાનું મારા હાથમાં આવ્યું છે.આ સાંભળી વાનરો ફફડી ઉઠયા-ને કહેવા લાગ્યા કે ઉપવાસ કરી મરવાનું પુણ્ય પણ શું આ નહિ લેવા દે?