Jan 11, 2022

Narada Puran-In Gujarati-નારદ પુરાણ-ગુજરાતી-028


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૩

પોતાના મોટા મોટા યોદ્ધાઓનો નાશ થયેલો સાંભળી,રાવણને ભયંકર ગુસ્સો ચડ્યો અને તેણે,પોતાના સેનાપતિ,જંબુમાલીને હુકમ કર્યો કે-જાઓ એ બંદરને પકડીને મારી આગળ લઇ આવો.સેનાપતિ રથમાં બેસી ઉપડ્યો,હનુમાનજી દરવાજા આગળ તૈયાર ઉભા હતા,
સેનાપતિના મારા સામે હનુમાનજી એ એવો પ્રતિકાર કર્યો કે,ઘડીકમાં તો તે સેનાપતિ ધૂળ ચાટતો થઇ ગયો.

Jan 10, 2022

Narada Puran-In Gujarati-નારદ પુરાણ-ગુજરાતી-027


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૨

હનુમાનજીએ સીતાજીને,સીતાહરણ પછી બનેલા બધા બનાવોનું અને પોતે કેવી રીતે લંકામાં પ્રવેશ કર્યો,તે બધું સવિસ્તર કહી સંભળાવ્યું.અને રામજીનો સંદેશો પણ કહ્યો.કે તેમને પણ સીતાજીનો વિરહ સાલે છે.આ સાંભળી સીતાજી,રામજીના પ્રેમમાં મગ્ન બની ગયાં.તેમણે કહ્યું કે-હે હનુમાન,તારા વચન મને અમૃત સમાન લાગે છે,શ્રીરામનું મન મારામાં છે,તે જાણી આનંદ થાય છે,પણ શ્રીરામ શોક-મગ્ન રહે છે તે જાણી સાથોસાથ દુઃખ પણ થાય છે.મારા જીવનની માત્ર બે મહિનાની મુદત રહી છે,તેટલા સમયમાં શ્રીરામ અહીં કેવી રીતે આવી શકશે? 

Jan 9, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૧

રાવણનો ગુસ્સો આસમાને પહોંચ્યો ,તેણે તલવાર કાઢી,કહ્યું કે –ગુસ્સો તો એવો આવે છે કે તારો હમણાં જ વધ કરી નાખું,પણ શું થાય? મેં તને બાર મહિનાની મહેતલ આપી હતી તેમાં બે મહિના હજુ બાકી છે,એટલે ત્યાં સુધી હું રાહ જોઇશ,ત્યાં સુધીમાં જો માની જશે તો રાજ-રાણી થશે,નહિતર મારી આ તલવાર તારા ગળામાં પડશે તે તું નક્કી જ જાણજે.