તે પછી તો યુદ્ધના વ્યૂહ નક્કી થયા, અને છેવટે,”રામજીનો જય હો” ના પોકાર સાથે,વાનરો અને રીંછોએ,લંકાના ચારે દરવાજાઓ પર એક સાથે આક્રમણ કર્યું.
તેમની પાસે અસ્ત્ર-શસ્ત્ર નથી,પણ શિલાઓ અને વૃક્ષો ઉખાડીને લડે છે.ને મુખેથી જ વિચિત્ર અવાજો કરીને રણભેરી વગાડે છે.સામે રાવણે પોતાની સેના સામે મોકલી કહ્યું કે-જાઓ ઘેર બેઠાં વાનરોનું ભોજન આવ્યું છે,તેમણે પકડી પકડીને ખાઓ.રાવણ હજુ પણ,અહમમાં પોતાને જ કર્તા-હર્તા સમજે છે.
તેમની પાસે અસ્ત્ર-શસ્ત્ર નથી,પણ શિલાઓ અને વૃક્ષો ઉખાડીને લડે છે.ને મુખેથી જ વિચિત્ર અવાજો કરીને રણભેરી વગાડે છે.સામે રાવણે પોતાની સેના સામે મોકલી કહ્યું કે-જાઓ ઘેર બેઠાં વાનરોનું ભોજન આવ્યું છે,તેમણે પકડી પકડીને ખાઓ.રાવણ હજુ પણ,અહમમાં પોતાને જ કર્તા-હર્તા સમજે છે.