Aug 17, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-16

આધ્યાત્મિક પ્રાણ
યોગીઓના મત પ્રમાણે-મેરુદંડ (કરોડ) માં "ઈડા" અને "પિંગલા" નામના જ્ઞાનતંતુઓના બે પ્રવાહો છે.અને કરોડની મધ્યમા "સુષુમણા" નામની એક "પોલી નાડી" છે.આ પોલી સુષુમણા નાડી ને નીચેને છેડે-ત્રિકોણાકાર "કુંડલિની-પદ્મ" આવેલું છે.

Aug 16, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-15

જેવી રીતે,આપણે દુરબીનથી આપણી દૃષ્ટિનું ક્ષેત્ર વધારી શકીએ છીએ,તેવી રીતે,યોગ વડે આપણે આપણી જાતને બીજી ભૂમિકાના કંપનની સ્થિતિમાં લાવી શકીએ છીએ.અને એ રીતે,ત્યાં (બીજા કંપનની ભૂમિકાવાળા ક્ષેત્રમાં) શું થઇ રહ્યું છે તે જાણવા શક્તિમાન થઈએ છીએ.

Aug 15, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-14

આમ રાજયોગનું સઘળું ક્ષેત્ર -એ ખરી રીતે,પ્રાણ-શક્તિ પરનો કાબૂ -અને-જુદીજુદી ભૂમિકાઓ પર તેની દોરવણી-એ શીખવાનું છે.એટલે કે-મનુષ્યે,જયારે પોતાની શક્તિઓને એકાગ્ર કરી હોય છે,ત્યારે તે પોતાના શરીરમાં રહેલી પ્રાણશક્તિ પર કાબૂ મેળવે છે.અને મનુષ્ય જયારે ધ્યાન કરતો હોય છે ત્યારે તે પ્રાણ-શક્તિને એકાગ્ર કરતો હોય છે.

Aug 14, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-13

મનુષ્યના શરીરમાં આ "પ્રાણ-શક્તિ"નું સ્પષ્ટ સ્વરૂપ-એ ફેફસાંઓની "ગતિ" છે.(જો એ (ગતિ) અટકી જાય-તો એક સામાન્ય નિયમ મુજબ -શરીરમાંના એ ગતિને લીધે દેખાતાં બીજાં (જીવનનાં) ચિહ્નો તરત જ બંધ થઇ જાય.અને મનુષ્ય મરેલો જાહેર થાય.પરંતુ એવા ય કેટલાક યોગીઓ  છે જેઓ પોતાની જાતને એવી રીતે કેળવી શકે છે કે-આ ફેફસાંની ગતિ બંધ પડી ગઈ હોય છતાં તેમનું શરીર જીવ્યા કરે છે)

Aug 13, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-12

આ "પ્રાણ" શક્તિ પરનો કાબૂ -એ આપણી સામે લગભગ "અનંત- શક્તિ"નો દરવાજો ખુલ્લો કરી દે છે.
એટલે કે-જો કોઈ મનુષ્યે આ પ્રાણ વિશેનું પૂરેપૂરું "જ્ઞાન" મેળવ્યું અને તે "પ્રાણ" પર "કાબૂ" મેળવ્યો,
તો સૃષ્ટિમાં  અસ્તિત્વ ધરાવતી કઈ શક્તિ તેના તાબામાં ના હોય?