Sep 7, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-31

રાજયોગ-સંક્ષિપ્તમાં
યોગ-રૂપી અગ્નિ -એ મનુષ્યના આસપાસ રહેલું પાપનું પિંજર બાળી કાઢે છે.યોગથી ચિત્ત શુદ્ધ થાય છે અને નિર્વાણની પ્રાપ્તિ થાય છે.યોગથી જ્ઞાન આવે છે અને એ જ્ઞાન -પાછું યોગીને -નિર્વાણના પંથમાં સહાય કરે છે.જે મનુષ્ય પોતામાં યોગ અને જ્ઞાન -એ બંનેનો સમન્વય કરે છે,તેના પર ઈશ્વર કૃપા કરે છે.જેઓ,દિવસમાં ઓછામાં ઓછા એકવાર-અથવા તો બે-કે-ત્રણ વાર-હંમેશા આ "મહાયોગ" (રાજયોગ) નો અભ્યાસ કરે છે-તેઓને દેવ-સમાન જ સમજવા.

Sep 6, 2022

Ganpati Atharvshish in Gujarati with meaning-ગણપતિ અથર્વશીર્ષ



RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-30

પૂર્વ તૈયારીઓ વડે જયારે મન મજબૂત બને, કાબૂમાં આવે અને સૂક્ષ્મ અનુભવો ને પારખવાની શક્તિવાળું બને,ત્યારે તેને ધ્યાનમાં લગાડવું જોઈએ.એટલે કે-આ ધ્યાનની શરૂઆત,સ્થૂળ વિષયોથી કરીને-ધીરેધીરે-વધુ ને વધુ સૂક્ષ્મ વિષયો પર લઇ જવું જોઈએ. અને છેવટે તે મનને નિર્વિષય બનાવવું જોઈએ.

Sep 5, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-29

સમાધિ અવસ્થાએ -વૈજ્ઞાનિક પદ્ધતિથી -પહોંચવા માટે-"રાજયોગ" નાં વિવિધ પગથિયાં પર થઈને,
અનુભવ લઈને-ઉપર ચડવું -જ સલાહ ભરેલું અને હિતાવહ છે.આગળ આપણે પ્રત્યાહાર અને ધારણાનાં પગથિયાં (ભૂમિકા) વિશે જોઈ ગયા.હવે ધ્યાન અને સમાધિની ભૂમિકા (પગથિયું) આવે છે.

Sep 2, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-28

જેને આપણે "માનવ-જીવન" કહી એ છીએ (કે જે વિસંવાદિતા નો જાણે સમૂહ છે) તેનો -શું હેતુ છે?
તેનો જવાબ મેળવવા આપણે બુદ્ધિથી પર તો જવું જ પડશે.અને આમ કરવા -રાજયોગની વૈજ્ઞાનિક પદ્ધતિએ ધીરે ધીરે અને અભ્યાસ-પૂર્વક જવાનું છે.
સાથે સાથે સઘળા વહેમોને ફેંકી દેવાના છે.