शान्तिरूपात्परमानन्दरूपाच्घ ॥ ६० ॥
ભક્તિ એ શાંતિ-રૂપા અને પરમાનંદ-રૂપા છે. (૬૦)
જેમ,ભક્ત અને ભગવાન એક બને છે,તેમ ભક્તિ(પ્રેમ)નું સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ એક જ છે,
જેમ,પરમાત્માને સચ્ચિદાનંદ (સત+ચિદ+આનંદ) પણ કહે છે,ને તે શાંત અને પરમાનંદ-રૂપ છે.
તેમ,ભક્તિનું સ્વરૂપ તે પરમાત્માનું જ છે.ભક્ત શાંત બને તો પરમાત્માનું રૂપ પ્રગટ થાય છે.
એટલે જ નારદ કહે છે કે-(આ ભક્તિ તે)શાંતિ-રૂપ અને પરમાનંદ-રૂપ છે.