Sep 29, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-14

 

शान्तिरूपात्परमानन्दरूपाच्घ ॥ ६० ॥ 

ભક્તિ એ શાંતિ-રૂપા અને પરમાનંદ-રૂપા છે. (૬૦)


જેમ,ભક્ત અને ભગવાન એક બને છે,તેમ ભક્તિ(પ્રેમ)નું સ્વરૂપ  અને ભગવાનનું સ્વરૂપ એક જ છે,

જેમ,પરમાત્માને સચ્ચિદાનંદ (સત+ચિદ+આનંદ) પણ કહે છે,ને તે શાંત અને પરમાનંદ-રૂપ છે.

તેમ,ભક્તિનું સ્વરૂપ તે પરમાત્માનું જ છે.ભક્ત શાંત બને તો પરમાત્માનું રૂપ પ્રગટ થાય છે.

એટલે જ નારદ કહે છે કે-(આ ભક્તિ તે)શાંતિ-રૂપ અને પરમાનંદ-રૂપ છે.

Sep 27, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-13

 

गौणी त्रिधा गुणभेदादार्तादिभेदाद्वा ॥ ५६ ॥ 

ગૌણી ભક્તિ -એ ગુણ-ભેદથી કે આર્તાદિ-ભેદથી ત્રણ પ્રકારની હોય છે. (૫૬)


મૂળ રૂપે (હકીકતમાં) તો ઉપર કહ્યા મુજબ ભક્તિ,ગુણાતીત અને એક જ છે.

છતાં,સહેલી રીતે સમજવા માટે સહુ  પ્રથમ તો બે વિભાજન કરેલ છે-પરા ભક્તિ અને ગૌણી ભક્તિ.

પરા ભક્તિ (જેને મુખ્યા ભક્તિ પણ કહે છે) સ્વરૂપે (એટલે કે એક જ) છે.

Sep 26, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-12

 

मूकास्वादनवत् ।। ५२ ।। 

ગૂંગા (બોલી ના શકતા હોય તેવા મનુષ્ય) ના સ્વાદના જેવું (તે પ્રેમનું સ્વરૂપ છે) (૫૧)


જીભની એક જ ઇન્દ્રિય બે કામ કરે છે.એક તો સ્વાદ લેવાનો અને બીજો બોલવાનો.

ગુંગો મનુષ્ય સ્વાદ તો લઇ શકે છે પણ તે સ્વાદનું વર્ણન કરી શકતો નથી.

તેમ,પરમાત્માનો (પ્રેમનો) જેણે સ્વાદ લીધો છે તે ગૂંગા જેવો છે ને તેનું વર્ણન કરી શકતો નથી.

Sep 23, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-11

 

यः कर्मफलं त्यजति, कर्माणि संन्यस्यति,ततो निर्द्वन्द्वो भवति।। ४८ ।।

જે કર્મ-ફળનો ત્યાગ કરે છે,કર્મોનો પણ ત્યાગ કરે છે-અને બધુંજ ત્યાગીને જે નિર્દ્વન્દ્વ થઇ જાય છે (૪૮)


જે ભક્ત જયારે અનુભવ કરે છે કે-ફળ તો ભવિષ્યમાં મળવાનું છે અને જો ભવિષ્ય વિષે વિચાર થાય તો મન હાજર થઇ જાય છે,પણ જો ભક્તે મનનો સાથ છોડી દીધેલ હોય તો તેને કર્મ-ફળની ચિંતા ક્યાંથી સતાવી શકે?

Sep 22, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-10

 

दुःसङ्गः सर्वथैव त्याज्यः ।। ४३ ।। 

દુઃસંગનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. (૪૩)


દુઃસંગનો નો જો સીધો સાદો અર્થ કરવામાં આવે તો તે છે-ખરાબ વ્યક્તિનો સંગ.

પણ જો નીચેના સૂત્રોને અનુસરીને જોવામાં આવે તો,મન કે જે-કામ-ક્રોધ-આદિના ઉત્પત્તિનું કારણ છે,

 તે મનનો સંગ જ દુઃસંગ છે એમ કહેવું વધારે બહેતર લાગે છે.

કેમ કે જો ખરાબ વ્યક્તિના સંગનો (બહારથી) ત્યાગ કરવામાં આવે પણ જો મનથી (અંદરથી)

તેનો ત્યાગ થયેલો ન હોય તો તે ત્યાગ રહેતો નથી.માટે મનનો સંગ જ દુઃસંગ છે,તેનો ત્યાગ જરૂરી છે.