Nov 4, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-005

 

જયારે,મેં સાંભળ્યું કે,કિરાત-રૂપધારી-દેવાધિદેવ મહાદેવને યુદ્ધમાં પ્રસન્ન કરીને અર્જુને પાશુપત નામનું મહા અસ્ત્ર મેળવ્યું છે,ત્યારે મેં 'જય'ની આશા ન કરી,જયારે,મેં સાંભળ્યું કે,અર્જુને સ્વર્ગમાં રહી,ઇન્દ્રની પાસેથી વિધિપૂર્વક દિવ્ય અસ્ત્રો શીખી લીધાં છે,ત્યારે મેં 'જય'ની આશા ન કરી,જયારે,મેં સાંભળ્યું કે,દેવોથી પણ અજેય એવા,કાલકેયો ને પૌલોમ નામના અસુરોને અર્જુને જીતી લીધા છે,ત્યારે,મેં 'જય'ની આશા ન કરી,જયારે,મેં સાંભળ્યું કે,મનુષ્યોના માટે અગમ્ય એવા કુબેરજીની ભેટ પાંડવોને થઇ છે,ત્યારે મેં 'જય'ની આશા ન કરી (162-166)

Nov 3, 2022

Pasaydan-with Gujarati translation-By Sant Gnaneshvar-પસાયદાન-ગુજરાતી અનુવાદ સાથે

 સંત જ્ઞાનેશ્વરજી રચિત 

પસાયદાન 

(મરાઠી ભાષાનો શબ્દ છે-કે જેનો સીધો અર્થ કૃપા પ્રસાદ (ભિક્ષા)  કે પ્રસાદ પણ કરી શકાય)

('પસા' એટલે બે હાથ પાસે પાસે રાખીને કરેલ ખોબો,અને દાન એટલે ભિક્ષા કે પ્રસાદ)


સંત જ્ઞાનેશ્વરજી કે જેમને વારકરી સંપ્રદાયવાળા 'મૌલી' (મા) પણ કહે છે,

તેમણે જે જ્ઞાનેશ્વરી ગીતા (કે ભાવાર્થ દીપિકા) કહેલી છે,

તેના છેલ્લા અઢારમા અધ્યાયની 1794 થી 1802 ઓવીઓને પસાયદાન કહે છે.

કે જે મહારાષ્ટ્રમાં વધુ પ્રચલિત છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-004

 દુર્યોધન,એક 'ક્રોધ-રૂપી-મહાવૃક્ષ' છે,કર્ણ-શકુનિ તેનો શાખા-વિસ્તાર છે,દુઃશાસન તેનાં ફળ-ફૂલ છે,
અજ્ઞાનથી આંધળો તથા બુદ્ધિ-રહિત ધૃતરાષ્ટ્ર તેની જડ (મૂળ) છે.તો-

યુધિષ્ટિર,એક 'ધર્મ-મય-મહાવૃક્ષ' છે,અર્જુન-ભીમ તેનો શાખા-વિસ્તાર છે,નકુલ-સહદેવ તેનાં ફળ-ફૂલ છે,

અને શ્રીકૃષ્ણદેવ તથા બ્રાહ્મણ,તેની જડ છે (110-111)

Nov 2, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-003

     

 (સત્યવતી અને પરાશરના પુત્ર-દ્વૈપાયન) વ્યાસજીએ સનાતન વેદના વિભાગ કરી આ પવિત્ર ઇતિહાસ રચ્યો છે.

આ ઇતિહાસ (મહાભારત)ની રચના વખતે તેઓએ વિચાર્યું કે-આ ઇતિહાસ-ગ્રંથ રચ્યા પછી હું મારા શિષ્યોને કેવી રીતે ભણાવીશ? તેમની આ ચિંતા જાણીને બ્રહ્માજી (હિરણ્યગર્ભ) ત્યાં પધાર્યા.(54-59)

Nov 1, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-002

 પૃથ્વી પર,કોઈ કોઈ કવિઓએ પહેલાં આ ઇતિહાસ કહ્યો છે,આજે પણ કહે છે અને ભવિષ્યમાં પણ કહેશે.

અનંત જ્ઞાન આપવાવાળો આ ઇતિહાસ,ત્રણે લોકમાં પ્રશંસા પામ્યો છે.

આ (ઇતિહાસ-રૂપ) મહાભારત ગ્રંથ,અનેક પ્રકારના છંદો,સુંદર શબ્દો 

અને શ્રેષ્ઠ મનુષ્યોના સદાચારોથી સુશોભિત છે,તેથી વિદ્વાનો તેનો ઘણો આદર કરે છે.(26-28)