પછી,સુકન્યા,ચ્યવન મુનિ,માંધાતા,જનતું,સોમક,શ્યેન કપોત,શિબિરાજા વગેરેનાં આખ્યાનો કહ્યાં છે,
ત્યાર બાદ,અષ્ટાવક્રનું ઉપાખ્યાન આવે છે,તેમાં નૈયાયિકોમાં મુખ્ય વરુણપુત્ર બંદી સાથે,જનકરાજાના દરબારમાં,
અષ્ટાવક્ર વિવાદ કરે છે,જેમાં બંદી ની હાર થાય છે,વિજય પછી,અષ્ટાવક્ર,સાગરમાં ડૂબેલા પિતાને પાછા મેળવે છે.
પછી,પાંડવોની ગંધમાદન પર્વત યાત્ર અને નારાયણાશ્રમમાં તેમના વાસ વિષે કહેલ છે.
ગંધમાદન પર્વત ઉપર દ્રૌપદી ભીમસેનને સૌગન્ધિક કમળ લાવી આપવા કહે છે,ત્યારે તે લેવા જતાં,
ભીમને હનુમાનનાં દર્શન થાય છે,તેનું વર્ણન કરેલ છે.(170-178)