અધ્યાય-૧૦-રુરુ અને ડુંડુંભનો સંવાદ
II रुरु उवाच II मम प्राणसमा भार्या दष्टासिद्मुजगेन ह I तत्र भे समयो घोर आत्मनोरग वै कृतः II १ II
રુરુ બોલ્યો-મારી પ્રાણસમી પત્નીને એક સર્પ કરડ્યો હતો,ત્યારથી મેં એક ભયંકર નિયમ લીધો છે કે-
મારા જોવામાં,જે કોઈ સર્પ આવે તેને હું મારી નાખું છું,એટલે આજે હું પણ તને મારીશ.
ડુંડુંભ બોલ્યો-હે તપોધન,માણસોને જે ડસે છે તે સર્પો જુદા છે,માત્ર સાપના આકાર જેવા (ડેંડવા) અમોને,
મારવા તમોને ઘટતા નથી,અમે સર્પોની જાતિના છીએ,તેથી જ તેમની જેમ,અમે હાનિ પામીએ છીએ,
દુઃખ પામીએ છીએ પણ તેમની જેમ સુખ પામતા નથી,તમે અમને મારવા જોઈએ નહિ