અધ્યાય-૪૬-વાસુકી અને જરાત્કારુનો સમાગમ
II सौतिरुवाच II एतच्छ्रुत्वा जरत्कारुभृशं शोकपरायणः I उवाच तान् पित्रुन्दुःखाद्वाष्पसंदिग्धया गिरा II १ II
સૂતજી બોલ્યા-પિતૃઓની વાત સાંભળી,જરત્કારુ શોક્ગ્રસ્ત થાય,ને ગદગદિત થઇ કહેવા લાગ્યો કે-
'આપ બધા મારા પિતૃઓ છો,તો મારે આપનું પ્રિય કરવાની ઇચ્છાએ શું કરવું જોઈએ?
હું જ આપનો અપરાધી પુત્ર જરત્કારુ છું,હું કૃતઘ્ની અને દુષ્ટકર્મી છું,આપ મને શિક્ષા કરો (1-3)