Dec 4, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-034

 

અધ્યાય-૪૬-વાસુકી અને જરાત્કારુનો સમાગમ 


II सौतिरुवाच II एतच्छ्रुत्वा जरत्कारुभृशं शोकपरायणः I उवाच तान् पित्रुन्दुःखाद्वाष्पसंदिग्धया गिरा II १ II

સૂતજી બોલ્યા-પિતૃઓની વાત સાંભળી,જરત્કારુ શોક્ગ્રસ્ત થાય,ને ગદગદિત થઇ કહેવા લાગ્યો કે-

'આપ બધા મારા પિતૃઓ છો,તો મારે આપનું પ્રિય કરવાની ઇચ્છાએ શું કરવું જોઈએ? 

હું જ આપનો અપરાધી પુત્ર જરત્કારુ છું,હું કૃતઘ્ની અને દુષ્ટકર્મી  છું,આપ મને શિક્ષા કરો (1-3)

Dec 3, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-033

 

અધ્યાય-૪૪-જન્મેજયનો રાજ્યાભિષેક 


II सौतिरुवाच II ते तथा मंत्रिणो दष्ट्वा भोगेन परिवेष्टितं I विपण्णवदनाः सर्वे रुरुदुर्भ्रुशदुःखितः II १ II

સૂતજી બોલ્યા-રાજાને,તક્ષકથી ઘેરાયેલો,જોઈને ને તેની ગર્જના સાંભળીને,મંત્રીઓ દુઃખિત થઇ રોવા લાગ્યા 

અને ભયભીંત થઇ ત્યાંથી ભાગવા લાગ્યા,ને ત્યારે રાજા,મૃત થઈને ધરતી પર ઢળી પડ્યો (1-4)

Dec 2, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-032

 

અધ્યાય-૪૩-પરીક્ષિત રાજાને તક્ષકડંશ 


II तक्षक उवाच II यदि दष्टं मयेह त्वं शक्तः किंचिच्चिकित्सितुम् I ततो वृक्षं मया दष्टमिमं जीवय काश्यप II १ II

તક્ષક બોલ્યો-હે કાશ્યપ,હું જેને કરડું છું,તેને તું નિર્વિષ કરી શકતો હોય,તો હું આ ઝાડને ડસું છું,તો તેને,

તારી જે પણ,મંત્રશક્તિ હોય તેનાથી તેને સજીવન કર. કશ્યપે કહ્યું કે-'ભલે તેમ' (1-3)

સૂતજી બોલ્યા-પછી,તક્ષક નાગ,ઝાડને ડસ્યો,ને તે ઝાડ તરત જ ભડભડીને સળગી ગયું,

ત્યારે તક્ષકે કાશ્યપને કહ્યું કે-હવે તમે આ ઝાડને,ફરીથી સજીવન કરો.(4-6)

Dec 1, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-031

 

અધ્યાય-૪૧-શૃંગીએ,પરીક્ષિત રાજાને આપેલ શાપ 


II सौतिरुवाच II एवमुक्तः स तेजस्वी शृङ्गी कोपसमन्वितः I मृतधारं गुरुं श्रुत्वा पर्यतप्यत मन्युना II १ II

સૂતજી બોલ્યા-(પોતાના મિત્ર) કૃશ દ્વારા મળેલ માહિતી મુજબ,પોતાના પિતાના ખભા પર,મૃત સર્પ મુકવાની,વાત સાંભળીને,શૃંગી અત્યંત રોષે ભરાઈને ક્રોધવાળો થયો,તેણે કૃશને,આ પ્રસંગ વિષે વધુ માહિતી માગી,ત્યારે.

કૃશે કહ્યું કે-રાજા પરીક્ષિત,શિકારની પાછળ દોડતા આવ્યા હતા,અને તેમણે મૃત સર્પ તેમના ખભા પર મુક્યો હતો.ત્યારે શૃંગીએ પૂછ્યું કે-મારા પિતાનો શો અપરાધ હતો? રાજાએ હજુ મારી તપસ્યાનું બળ જોયું નથી (1-4)

Nov 30, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-030

 

અધ્યાય-૩૮-એલાપત્ર નાગનાં વચન 


II सौतिरुवाच II सर्पाणां तु वचः श्रुत्वा सर्वेपामिति चेति च I वासुकेश्व वचः श्रुत्वा एलापत्रोSन्नविदिदम् II १ II

સુતજી બોલ્યા-સર્વ સર્પોનાં અને વાસુકિના વચન સાંભળી,એલાપત્ર (નાગે) કહ્યું કે-

તે યજ્ઞ કંઈ થાય જ નહિ,એમ કદી બનવાનું નથી,વળી,જેનાથી આપણને મોટો ભય છે તે,જન્મેજય રાજા પણ જેવોતેવો નથી.હે નાગો,આપણે દૈવથી હણાયા છીએ,એટલે દૈવનું જ શરણું લેવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.

વળી,જયારે માતાએ શાપ આપ્યો ત્યારે,હું બીકથી તેના ખોળામાં બેસી ગયો હતો,

તે વખતે દેવો,દુઃખથી પીડિત થઈને બ્રહ્મા પાસે ગયા હતા,તેમનાં વચન મેં સાંભળ્યાં હતાં.

દેવોએ બ્રહ્માજીને કહ્યું-અતિશય તીખા સ્વભાવની કદ્રૂ,પોતાના પુત્રોને,તમારી સમક્ષ જ શાપ આપે,અને 

તમે 'તથાસ્તુ' કહી તેની વાતને માન્ય રાખી,પણ તમે તે વખતે તેને રોકી કેમ નહિ? (1-8)