Jan 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-056

 
અધ્યાય-૬૭-રાજાઓ-આદિની ઉત્પત્તિ 

II जनमेजय उवाच II देवानां दानवानां च गन्धर्वोरगराक्षसां I सिन्हव्याघ्रमृगाणां च पन्नगानां पतत्रिणाम II १ II

જન્મેજય બોલ્યા-હે ભગવન,દેવો,દાનવો,ગંધર્વો,નાગો,રાક્ષસો,સિંહો,વ્યાઘ્રો,મૃગો,સર્પો,પંખીઓ અને 

સર્વ મહાત્મા પ્રાણીઓની ઉત્પત્તિને તથા એ પ્રાણીઓના જન્મકર્મને હું સંપૂર્ણતાથી સાંભળવા ઈચ્છું છું.(1-2)

Jan 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-055

બ્રહ્માજીના બીજા બે પુત્રો,ધાતા અને વિધાતા હતા.કે જે મનુની સાથે રહેતા હતા,અને 

તેમનાં (નામ પ્રમાણેનાં) 'લક્ષણો' સર્વ લોકમાં રહ્યા છે.

તેમને 'લક્ષ્મીદેવી' નામે બહેન હતી,કે જેના,માનસપુત્રો,આકાશમાં ઉડતા ઘોડાઓ હતા.

વરુણની જ્યેષ્ઠ (મોટી) ભાર્યા 'દેવી' શુક્ર (શુક્રાચાર્ય) થી જન્મી હતી.

તેને 'બલ' નામનો એક પુત્ર અને 'સુરા' નામે પુત્રી હતી.

Jan 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-054

 બૃહસ્પતિની 'વરસ્ત્રી' નામની બ્રહ્મવાદિની બહેન હતી,તે યોગમાં પરાયણ થઇ,જગતમાં અસંગચિત્તે ફરતી હતી,
તે પાછળથી આઠમા વસુ પ્રભાતની પત્ની થઇ હતી,તેણે શિલ્પવિદ્યાના નિર્માતા વિશ્વકર્માને જન્મ આપ્યો હતો.

દેવોના સુથાર,એ વિશ્વકર્માએ અણમોલ શિલ્પો ને દિવ્ય વિમાનો બનાવ્યા હતા,

એ મહાત્માની શિલ્પકળાથી આજે પણ મનુષ્યો પોતાની આજીવિકા ચલાવે છે,ને તેમને પૂજે છે (28-31)

Dec 30, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-053

અધ્યાય-૬૬-વિવિધ સૃષ્ટિ 


II वैशंपायन उवाच II ब्रह्मणो मानसाः पुत्रा विदिताः पणंहर्षयः I एकादशः सुताः स्थाणोः ख्याताः परंतेजसः  II १ II

વૈશંપાયન બોલ્યા-પ્રસિદ્ધ છ મહર્ષિઓ બ્રહ્માના માનસપુત્રો હતા(મરીચિ,અત્રિ,અંગિરા,પુલસ્ત્ય,પુલહ,અને ક્રતુ)

સાતમા સ્થાણુ નામના પુત્રને અગિયાર પુત્રો થયા હતા.તે,મૃગવ્યાધ,સર્પ,નિઋતિ,

અજૈકપાટ,અહિર્બુધ્ન્ય,પિનાકી,દહન,ઈશ્વર,કપાલી,સ્થાણુ ને ભગ-એ અગિયાર 'રુદ્રો' તરીકે પ્રખ્યાત છે. 

Dec 29, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-052

 
સંભવ પર્વ 

અધ્યાય-૬૫-દક્ષકન્યાની સંતતિ 


II वैशंपायन उवाच II अथ नारायणेनेन्द्रेश्चकार सः संविदम् I अवतर्तु महि स्वर्गादंशतः सहितः सुरैः  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ઇન્દ્રે,દેવતાઓ સાથે,સ્વર્ગમાંથી પૃથ્વી પર,અવતરવાનો,નારાયણ સાથે ઠરાવ કર્યો.

અને સર્વ દેવોને તે પ્રમાણે આજ્ઞા આપી,સર્વે નારાયણના નિવાસથી પાછા ફર્યા.

ત્યારે બાદ,દુશ્મનો (દૈત્યો)ના વિનાશ માટે અને લોકકલ્યાણ માટે દેવો,ક્રમેક્રમે પૃથ્વી પર અવતર્યા.

અને દાનવો,રાક્ષસો,ગંધર્વો,સર્પો અને અનેક માણસ-ખાઉ પ્રાણીઓને મારી નાખ્યા.(1-5)