Feb 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-097

અધ્યાય-૧૦૪-ભીષ્મએ કહેલી દીર્ઘતમાની કથા 

(કોઈ કોઈ આવૃત્તિઓમાં આ ઉપ-આખ્યાન આપણું નથી,આ અધ્યાય આ આવૃત્તિમાં  વધારાનો મુકેલ છે)


II  भीष्म उवाच II जामदग्नेय रामेण पित्रुर्वधममृप्यता I राजा परशुना पूर्व हैहयाधिपतिर्हतः II १ II

ભીષ્મ બોલ્યા-પૂર્વે,પિતાના થયેલા વધને સાંખી ન શકવાથી,જમદગ્નિના પુત્ર પરશુરામે,હૈહયોના અધિપતિ 

રાજા(સહસ્ત્રાર્જુન)ને પરશુથી હણી નાખ્યો હતો.તે સહસ્ત્રાર્જુનના હજાર હાથ કાપી નાખી,તેમણે,

આ લોકમાં અતિ દુષ્કર ધર્મ આચર્યો હતો.વળી,તેમણે ધનુષ્ય હાથમાં લઇ,રથમાં બેસી,

મહા અસ્ત્રો છોડીને,પૃત્વીને જીતતાં,ક્ષત્રિયોનો એકવીશ વાર નાશ કર્યો હતો.

Feb 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-096

 

અધ્યાય-૧૦૩-વંશવૃદ્ધિ માટે સત્યવતી ને ભીષ્મનો સંવાદ 


II वैशंपायन उवाच II ततः सत्यवती दीना कृपणा पुत्रगृद्धिनी I पुत्रस्य कृत्वा कार्याणि स्नुपाम्यां सह भारत II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,પછી,પુત્રની ઈચ્છાવાળી,દિન અને કૃપણ થયેલી,સત્યવતીએ,પુત્રવધૂઓ સાથે પુત્રની પારલૌકિક ક્રિયાઓ કરી અને બંને વહુઓ ને ભીષ્મને આશ્વાસન આપ્યું ને પિતૃવંશ-માતૃવંશ ને ધર્મની તરફ દ્રષ્ટિ રાખીને ભીષ્મને કહ્યું કે-'ધર્મપરાયણ શાંતનુની કીર્તિ,પિંડ ને વંશવર્ધનને હવે તારો જ આધાર છે.

હે ધર્મજ્ઞ,તું વેદો ને શાસ્ત્રોને જાણે છે,સત્યપ્રિય છે,ધર્મ વિશે તારો નિર્ણય અચળ છે,તારો કુલાચાર શ્રેષ્ઠ છે ને

વિપત્તિમાં શુક્ર ને બૃહસ્પતિ જેવું તારું કર્તવ્યજ્ઞાન છે તે હું જાણું છું,આથી તારામાં પૂરો વિશ્વાસ રાખીને,

હું તને એક કાર્યમાં યોજ્યુ છું-તે સાંભળીને તારે તેમ કરવું જોઈએ તેમ હું માનું છું.'(1-7)

Feb 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-095

અધ્યાય-૧૦૧-ચિત્રાંગદનું મૃત્યુ ને વિચિત્રવીર્યને રાજ્યપ્રાપ્તિ 


II वैशंपायन उवाच II ततो विवाहे निर्वुत्ते,स राज शान्तनुर्नृपः I तां कन्यां रूपसंपन्नां स्वगृहे संन्यवेशयत II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,લગ્ન થયાં,અને શાંતનુએ તે રૂપ સંપન્ન કન્યાને પોતાના ઘરમાં નિવાસ આપ્યો.

સમય થયે,તે સત્યવતીમાં,ચિત્રાંગદ ને વિચિત્રવીર્ય નામના ને પુત્રોનો જન્મ થયો.

વિચિત્રવીર્ય,હજુ યુવાનીમાં આવે તે પહેલા જ શાંતનુ રાજા કાળધર્મને પામ્યો હતો.(1-4)

Feb 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-094


શાંતનુ બોલ્યો-હે દાશરાજ,તમે જે વરદાન માગવા ઈચ્છો છો,તે સાંભળીને હું વિચાર કરીશ,ને પછી જે તો 

આપવા યોગ્ય હશે તો આપીશ ને જો આપવા જેવો નહિ હોય તો કોઈ પણ રીતે આપીશ નહિ.

દાશ બોલ્યો-હે પૃથ્વીપતિ,આ કન્યામાં જે પુત્ર જન્મે,તેનો તમારા પછી રાજા તરીકે અભિષેક કરવો.

બીજા કોઈનો નહિ,એવી મારી શરત છે,તો એવો વર મને આપો 

Feb 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-093

 
અધ્યાય-૧૦૦-ભીષ્મપ્રતિજ્ઞા-તથા શાંતનુને સત્યવતીની પ્રાપ્તિ 

II वैशंपायन उवाच II स राजा शान्तनुर्धिमान देवराजर्षिसत्कृतः I धर्मात्मा सर्वलोकेषु सत्यवागिति विश्रुतः II १ II

વૈશંપાયન બોલ્યા-દેવો અને રાજર્ષિઓથી સત્કારાયેલો,તે બુદ્ધિમાન શાંતનુ રાજા,સર્વલોકમાં ધર્માત્મા અને સત્યવાદી તરીકે વિખ્યાત થયો હતો.ઇન્દ્રિયનિગ્રહ,દાન,ક્ષમા,બુદ્ધિ,લજ્જા,ધૃતિ અને તેજ-એ સર્વ ગુણોથી તે 

યુક્ત હતો.ધર્મ અને અર્થમાં કુશળ એવો તે ગુણસંપન્ન રાજા ભરતવંશનો ને સર્વ જનોનો સંરક્ષક હતો.(1-3)