અર્થવાળો,અર્થવાળા પાસે જતો નથી,અને ગરજ પુરી થાયે માણસ મૈત્રી રાખતો નથી,તેથી,બીજાને માટે કરવાનાં સર્વ કાર્ય થોડાં અધૂરાં રહે તેમ જ કરવાં.ઐશ્વર્ય ઇચ્છનારે,ઈર્ષારહિત રહીને,(મિત્રતામાં)સંગ્રહ અને શત્રુ સાથે વિગ્રહ કરવામાં યત્ન કરવો અને ઉત્સાહ રાખવો.નીતિયુક્ત મનુષ્ય એવું કરે કે-પોતાનાં કાર્યોને મિત્રો તેમજ શત્રુઓ જાણી જાય નહિ,તેઓ તે જો જાણે,તો કાર્ય આરંભ્યા પછી જ કે તે પુરી રીતે પર પડ્યા પછી જ જાણે.
Mar 30, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-136
Mar 29, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-135
સોગન ખાઈને,ધન આપીને,વિષ દઈને અથવા કપટજાળ ફેલાવીને રિપુને મારી જ નાખવો.ને ક્યારે ય તેની
ઉપેક્ષા કરવી નહિ.જેઓ સંશયમાં હશે,તેઓ જેઓને મારી (કણિકની) નીતિ પર શ્રદ્ધા હશે તે જ વિજયને વરશે.
Mar 28, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-134
શત્રુ,દીન થઈને ઘણુંઘણું કહે તો પણ,તેના પર કૃપા કરવી નહિ,અપકારીઓને તો હણી જ નાખવા.
આમ શત્રુને સાંત્વન,દાન,સામ,દામ,દંડ ભેદ-આદિ ઉપાયોથી ઉખેડી જ નાખવો (21-24)
Mar 27, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-133
II वैशंपायन उवाच II श्रुत्वा पाण्डुसुतान् वीरान बलोद्रिक्तान महौजसः I धृतराष्ट्रो महिपालश्चिताम गमदातुर:II १ II
વૈશંપાયન બોલ્યા-પાંડુપુત્રોને વીર,બળસંપન્ન ને મહાઓજસ્વી થયેલા સાંભળીને ધૃતરાષ્ટ્ર ચિંતા કરવા લાગ્યો,
પછી,મંત્રવેત્તા,રાજશાસ્ત્રના રહસ્યના પાર્મવિદ્વાન અને મંત્રીઓમાં શ્રેષ્ઠ એવા કણિકને બોલાવી,
ધૃતરાષ્ટ્ર તેને કહેવા લાગ્યો કે-પાંડવોના ઉત્કર્ષથી મને,તેમના પ્રત્યે અદેખાઈ થાય છે,તો હે કણિક,
મારે તેમની સાથે સંધિ રાખવી કે વિગ્રહ કરવો,તે તું મને નિશ્ચિત રીતે કહે,હું તેમ કરીશ (1-3)