Mar 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-136

 
અર્થવાળો,અર્થવાળા પાસે જતો નથી,અને ગરજ પુરી થાયે માણસ મૈત્રી રાખતો નથી,તેથી,બીજાને માટે કરવાનાં સર્વ કાર્ય થોડાં અધૂરાં રહે તેમ જ કરવાં.ઐશ્વર્ય ઇચ્છનારે,ઈર્ષારહિત રહીને,(મિત્રતામાં)સંગ્રહ અને શત્રુ સાથે વિગ્રહ કરવામાં યત્ન કરવો અને ઉત્સાહ રાખવો.નીતિયુક્ત મનુષ્ય એવું કરે કે-પોતાનાં કાર્યોને મિત્રો તેમજ શત્રુઓ જાણી જાય નહિ,તેઓ તે જો જાણે,તો કાર્ય આરંભ્યા પછી જ કે તે પુરી રીતે પર પડ્યા પછી જ જાણે.

Mar 29, 2023

9-Millions Views of Sivohm-Thanks everybody


 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-135


 પુત્ર,મિત્ર,ભાઈ,પિતા અને ગુરુ પણ જો શત્રુની જેમ વર્તતા હોય તો સ્વહિત ઇચ્છનારે તેમને હણી નાખવા.

સોગન ખાઈને,ધન આપીને,વિષ દઈને અથવા કપટજાળ ફેલાવીને રિપુને મારી જ નાખવો.ને ક્યારે ય તેની 

ઉપેક્ષા કરવી નહિ.જેઓ સંશયમાં હશે,તેઓ જેઓને મારી (કણિકની) નીતિ પર શ્રદ્ધા હશે તે જ વિજયને વરશે.

Mar 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-134


કણિક બોલ્યો- જેમ,ફળેલી ડાળીને નમાવીને,પાકાં ફળ તોડી લેવાય છે,તેમ,શત્રુ-રૂપી-ફળ તોડવાનો એવો જ
ઉપાય છે.સમય ન આવ્યો હોય ત્યાં સુધી,શત્રુને ખભે બેસાડી ફેરવવો,ને સમય આવ્યે તેનો નાશ કરવો.

શત્રુ,દીન થઈને ઘણુંઘણું કહે તો પણ,તેના પર કૃપા કરવી નહિ,અપકારીઓને તો હણી જ નાખવા.

આમ શત્રુને સાંત્વન,દાન,સામ,દામ,દંડ ભેદ-આદિ ઉપાયોથી ઉખેડી જ નાખવો (21-24)

Mar 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-133

 
અધ્યાય-૧૪૦-કણિકની રાજનીતિ 

 II वैशंपायन उवाच II श्रुत्वा पाण्डुसुतान् वीरान बलोद्रिक्तान महौजसः I धृतराष्ट्रो महिपालश्चिताम गमदातुर:II १ II

વૈશંપાયન બોલ્યા-પાંડુપુત્રોને વીર,બળસંપન્ન ને મહાઓજસ્વી થયેલા સાંભળીને ધૃતરાષ્ટ્ર ચિંતા કરવા લાગ્યો,

પછી,મંત્રવેત્તા,રાજશાસ્ત્રના રહસ્યના પાર્મવિદ્વાન અને મંત્રીઓમાં શ્રેષ્ઠ એવા કણિકને બોલાવી,

ધૃતરાષ્ટ્ર તેને કહેવા લાગ્યો કે-પાંડવોના ઉત્કર્ષથી મને,તેમના પ્રત્યે અદેખાઈ થાય છે,તો હે કણિક,

મારે તેમની સાથે સંધિ રાખવી કે વિગ્રહ કરવો,તે તું મને નિશ્ચિત રીતે કહે,હું તેમ કરીશ (1-3)