II व्यास उवाच II पुरा वै नैमिषारण्ये देवाः सत्रमुपासते I तत्र वैवस्वतो राजन् शामित्रमकरोत्तत II १ II
વ્યાસ બોલ્યા-હે રાજન,પૂર્વે દેવોએ નૈમિષારણ્યમાં સત્ર માંડ્યો હતો.તેમાં વિવસ્વાનના પુત્ર યમરાજ પશુ મારવાના કામમાં દીક્ષિત થયા હતા,તેથી તે પ્રજામાંથી કોઈને મારતા નહોતા,કે જેને પરિણામે,મરણકાળ
વીતી જતાં પણ મૃત્યુ ન થવાથી,જગતમાં મનુષ્યો પુષ્કળ વધવા લાગ્યા.ત્યારે ચંદ્ર,ઇન્દ્ર,વરુણ,કુબેર,સાધ્યો,
રુદ્રો,વસુઓ,અશ્વિનીકુમારો વગેરે (અમર એવા) દેવો,મનુષ્યોની અત્યંત વૃદ્ધિથી ભય પામવાથી,
સર્વ લોકના નિર્માતા,પ્રજાપતિ બ્રહ્મા પાસે ગયા.ને કહેવા લાગ્યા કે-
'અમે ભયથી ઉદ્વેગ પામ્યા છીએ ને સુખની ઈચ્છાથી આપને શરણે આવ્યા છીએ' (1-4)