May 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-190

અધ્યાય-૨૧૧-તિલોત્તમાનું નિર્માણ 


II नारद उवाच II ततो देवपर्य: सर्वे सिध्धाश्च् परमर्पय: I जग्मुस्तदा परामार्ति द्रष्ट्वा तस्कदनं महत् II १ II

નારદ બોલ્યા-આવો મહાસંહાર થતો જોઈને સર્વે દેવર્ષિઓ,સિદ્ધો,તથા પરમઋષિઓ પરમ દુઃખ પામ્યા.

ને જગત પર કૃપા કરવાની યાચના કરવા તેઓ પિતામહ બ્રહ્મા પાસે ગયા.ને દીન થઈને,તેઓએ,બ્રહ્માને,

સુંદ-ઉપસુંદનુ સર્વ કાર્ય,સંપૂર્ણ રીતે કહી સંભળાવ્યું.ને સહાય કરવાની પ્રાર્થના કરી.એટલે તેમનાં વચન સાંભળીને,પિતામહે થોડીવાર વિચાર કરીને,નિશ્ચય કર્યો ને તેમણે વિશ્વકર્માને બોલાવ્યા.(1-10)

May 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-189

 
અધ્યાય-૨૧૦-સુંદ અને ઉપસુંદનો દિગ્વિજય 

II नारद उवाच II उत्सवे वृत्तमात्रे तु त्रिलोक्याकांक्षिणावुमौ I मंत्रयित्वा ततः सेनां तावाज्ञापयातां तदा II १ II

નારદ બોલ્યા-જયારે ઉત્સવ પૂરો થયો,ત્યારે ત્રણે લોક પર વિજય મેળવવા ઇચ્છતા તે બંનેએ મંત્રણા કરીને સૈન્યને આજ્ઞા આપી.મિત્રો,વૃદ્ધ દૈત્યો અને મંત્રીઓની રાજા લઈને,તથા પ્રયાણ માટેનાં મંગલ કાર્યો કરીને તેઓએ રાત્રે મઘા નક્ષત્રમાં,પોતાની મહાન દૈત્ય સેના સાથે પ્રયાણ આદર્યું.ચારણો,વિજયસૂચક મંગળ સ્તુતિઓથી તેમની પ્રશંસા કરતા હતા,અને તેઓ ઘણા પ્રસન્ન થઈને આગળ વધતા હતા.(1-4)

May 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-188

 
અધ્યાય-૨૦૯-સુંદ અને ઉપસુંદનું આખ્યાન 

II नारद उवाच II शृणु मे विस्तरेणे ममितिहासं पुरातनम् I भ्रात्रुति: सहितः पार्थ यथावृतं युधिष्ठिर II १ II

નારદ બોલ્યા-હે યુધિષ્ઠિર,પૂર્વે,મહાન અસુર હિરણ્યકશિપુના વંશમાં,નિકુંભ નામે એક બળવાન રાક્ષસ થયો હતો,

તેને સુંદ અને ઉપસુંદ નામના બે,બળવાન ને ક્રૂર માનસવાળા,દૈત્યોના ઇન્દ્ર સરખા પુત્રો હતા.

તે બંને એક જ નિશ્ચયવાળા,એક જ કાર્યવાળા,એક જ પ્રયોજનવાળા,અને સુખદુઃખમાં સદૈવ સાથે વર્તનારા હતા.

તેઓ એકબીજા વિના જમતા નહોતા અને એકબીજાનું પ્રિય કરતા હતા.તેઓ એક જ જાતના સ્વભાવવાળા અને આચરણવાળા હતા,જાણે કે એક જ ખોળિયામાં બે જીવ હોય,તેવા તે હતા.(1-6)

May 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-187

અધ્યાય-૨૦૮-યુધિષ્ઠિર અને નારદનો સંવાદ 


II जनमेजय उवाच II एवं संप्राप्यं राज्यं तदिन्द्रप्रस्थं तपोधन I अत ऊर्ध्व महात्मनः किमकुर्वत पाण्डवाः II १ II

જન્મેજય બોલ્યા-હે તપોધન,આમ,ઈંદ્રપ્રસ્થનું રાજ્ય મેળવ્યા પછી,મારા પૂર્વજ એવા,તે પાંડવોએ શું કર્યું?

તેમની ધર્મપત્ની દ્રૌપદી તેમની સાથે કેવી રીતે વર્તતી હતી? તે પાંચે પાંડવો એક પત્ની સાથે સંબંધ રાખતા હતા,છતાં,તેમનામાં પરસ્પર ભેદ કેમ પડ્યો નહિ? તેમની ચેષ્ટાઓને હું સાંભળવા ઈચ્છું છું (1-4)

May 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-186

 
રાજ્યલંભ પર્વ 

અધ્યાય-૨૦૭-ઈંદ્રપ્રસ્થનું નિર્માણ 

II द्रुपद उवाच II एवमेतन्ममहाप्राज्ञ यथास्थ विदुराद्य माम् I ममापि परमो हर्षः संबन्धेSस्मिन् कृते प्रभो II १ II

દ્રુપદ બોલ્યો-હે મહામતિ વિદુર,તમે આજે જે મને કહો છો તે તેમ જ છે.આ સંબંધ થવાથી મને પણ પરમહર્ષ 

થયો છે.આ મહાત્માઓને પોતાના નગર હસ્તિનાપુર જવું એ ઘણું યોગ્ય છે.પણ હું મારા મુખથી 

એ કહું તે ઉચિત નથી.કેમ કે ધર્મજ્ઞ બલરામ અને શ્રીકૃષ્ણની પણ સલાહ ને આજ્ઞા લેવી યોગ્ય છે,

કેમ કે તેઓ પાંડવોના હિતમાં તત્પર છે,તેઓ પણ અનુમતિ આપે તો તેઓ ભલે જાય.(1-4)