અધ્યાય-૨૧૪-અર્જુન અને ઉલૂપીનો મેળાપ
II वैशंपायन उवाच II तं प्रयान्तं महाबाहु कौरवाणां यशस्करं I अनुजग्मुर्महात्मानो ब्राह्मणा वेदपारगा II १ II
વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,કૌરવ વંશનો યશ વધારવાવાળો અર્જુન જયારે ત્યાંથી જવા લાગ્યો ત્યારે,
તેની સાથે વેદજ્ઞ મહાત્મા બ્રાહ્મણો પણ તેની સાથે જવા લાગ્યા.વળી,આધ્યાત્મચિંતન કરવાવાળા,ભિક્ષાચારી બ્રહ્મચારી,ભગવદ્ભક્ત,પુરાણોના જ્ઞાતા સૂત,કથાવાચક,સન્યાસી,વાનપ્રસ્થ વગેરે પણ તેની સાથે ગયા.(1-3)