Apr 21, 2024

પરવારી ગયો-By અનિલ શુક્લ

 

અનુભવું,ધન્યતા,કરી દર્શન,જે વસી રહ્યો,તમારામાં,
એવું બને છે કદીક,કે તે-જ-તમે જુઓ છો મારામાં.

શું,પરિસ્થિતિનો ફરક જ હશે ને? બીજું તો નહિ કશું?
તમે,વિચારો છો,કે કંઇક તો -ફરક તો કેમ રહી ગયો?

નથી જોતા તમારામાં,તમે,જે જોઉં છું હું તમારામાં,
બંને જગાએ ને સર્વે,"એ" ને જોઈ,પવન પરવારી ગયો !

અનિલ શુક્લ
ઓક્ટોબર-૨૮-૨૦૧૬

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-493

 

અધ્યાય-૨૦૯-કર્મકથા 


II मार्कण्डेय उवाच II धर्मव्याधस्तु निपुणं पुनरेव युधिष्ठिर I विप्रर्यममुवाचेदं सर्वधर्मभृतां वर II १ II

માર્કંડેય બોલ્યા-'હે યુધિષ્ઠિર,ધર્મવ્યાધે તે નિપુણ વિપ્રવરને ફરીથી આ બધું કહ્યું'

વ્યાધ બોલ્યો-ધર્મનું પ્રમાણ વેદ છે-એવી વૃદ્ધોની આજ્ઞા છે.પણ આ ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે,અનેક શાખાવાળી છે ને પાર વિનાની છે.જેમ કે (કહેવાય છે કે)પ્રાણના સંકટ સમયે ને વિવાહ પ્રસંગે અસત્ય કહેવું એ યોગ્ય હોઈ શકે છે કેમ કે એવા સંજોગોમાં અસત્યથી સત્ય ફળ મળે છે ને સત્યથી અસત્ય ફળ મળે છે.

આવા પ્રસંગે ઉલટું વર્તવાથી ધર્મ સધાય છે !! જુઓ આ ધર્મની સૂક્ષ્મતાને !! 

Apr 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-492

 

અધ્યાય-૨૦૮-જીવહિંસાનુ નિરૂપણ 


II मार्कण्डेय उवाच II स तु विप्रमथोवाच धर्मव्याधो युधिष्ठिर I यदहमाचरे कर्म घोरमेतदसंशयम् II १ II

માર્કંડેય બોલ્યા-હે યુધિષ્ઠિર,હવે તે ધર્મવ્યાધે,બ્રાહ્મણને કહ્યું કે-'હું આ જે કર્મ આચરૂં છું તે નિઃસંશય ભયંકર છે,

પણ હે બ્રાહ્મણ,પૂર્વે કરેલા કર્મો ભોગવ્યે જ છૂટકો છે.પૂર્વજન્મના પાપથી આ કર્મદોષ મને આવ્યો છે.

આ દોષ ફેડવા હું પ્રયત્ન કરું છું પણ મારો છૂટકો થતો નથી.જો કે વિધિએ પ્રથમથી જ પ્રાણીઓને હણી મૂક્યાં છે

એટલે તેમનો પછીથી નાશ કરનારાઓ તો માત્ર નિમિત્તરૂપ જ છે.વળી,હું જે પ્રાણીઓનું માંસ અહીં વેચું છું તે 

માંસ,ભોજનના કામમાં આવે છે તેથી તે પ્રાણીઓ પુણ્ય પ્રાપ્ત કરે છે.

Apr 19, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-491

 

અધ્યાય-૨૦૭-બ્રાહ્મણ અને વ્યાધનો સંવાદ 


II मार्कण्डेय उवाच II चितयित्वा तदाश्चर्य स्त्रिया प्रोक्तमशेषत I विनिंदन स स्वमात्मानमागस्कृत इवाबमौ II १ II

માર્કંડેય બોલ્યા-તે સ્ત્રીની કહેલી આશ્ચર્યકારી વાતનો,તે કૌશિકે સંપૂર્ણતાથી વિચાર કર્યો,ને પોતાની જાતને નિંદવા લાગ્યો.ને તેને મિથિલાનગરીમાં જઈને વ્યાધને મળવાનો નિશ્ચય કરી ત્યાં જવા નીકળ્યો.નગરીમાં પહોંચી તેણે ધર્મવ્યાધનો પત્તો મેળવી ત્યાં ગયો ત્યારે તેણે તે વ્યાધને,ખાટકીવાડમાં દુકાને બેસીને મૃગો ને પાડાઓનું માંસ વેચતો જોયો.ઘરાકોની ભીડ હતી એટલે તે એકાંતમાં જઈ બેઠો.ધર્મવ્યાધ,એ બ્રાહ્મણના આવ્યાની વાત જાણી ગયો,ને એકદમ ઉભો થઈને બ્રાહ્મણ પાસે આવીને વંદન કરીને બોલ્યો કે-

Apr 18, 2024

કૃપા અનંતની-By અનિલ શુક્લ

 

નાદ અનહદનો સુણીને,શું થયો હતો અસ્થિર વાયુ?
કે  પામી અસ્થિરતાને,તે શું પવન નામે થયો હતો?

પણ,શું બન્યું,આજ,કે સ્થિરતા થઇ ગઈ પ્રચંડ,પવનને.
બની ફરી વાયુ,ચૂપચાપ  આકાશમાં સમાઈ ગયો લાગે.

થઇ હતી ઘોષણા અનંતની,કે બની રહી કૃપા અનંતની?
પવન,નથી રહ્યો પવન હવે,અનંતમાં સમાઈ ગયો લાગે.

અનિલ શુક્લ
નવેમ્બર-૧૮,૨૦૧૬

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-490

 

અધ્યાય-૨૦૬-પતિવ્રતાનું આખ્યાન-કૌશિકની કથા 


II मार्कण्डेय उवाच II कश्चिद्द्विजातिप्रवरो वेदाध्यायी तपोधन: I तपस्वी धर्मशीलश्च कौशिको नाम भारत II १ II

માર્કંડેય બોલ્યા-હે ભારત,કૌશિક નામે એક બ્રાહ્મણ હતો કે જે તપસ્વી,ધર્મશીલ હતો.તેણે ઉપનિષદો સાથે વેદોનું અધ્યયન કર્યું હતું.એક વાર તે કોઈ ઝાડના નીચે બેસીને વેદ ભણી રહ્યો હતો,ત્યારે તે ઝાડ પર બેસેલી એક બગલીએ તે બ્રાહ્મણની પર અઘાર કરી,કે જેથી તે બ્રાહ્મણ ક્રોધે ભરાયો અને બગલીનું અનિષ્ટ ચિંતન કરીને તેની સામે જોયું કે તરત જ તે બગલી,નિષ્પ્રાણ થઈને ધરતી પર પડી.તેને જોઈને બ્રાહ્મણ દયાથી સંતાપ કરવા લાગ્યો કે-'અરે રે,રોષ અને રાગમાં આવી જઈને મેં આ ભૂંડું કામ કરી નાખ્યું '(6)