પ્રકરણ-૧૦
અષ્ટાવક્ર
કહે છે કે-
શત્રુ-રૂપ
કામને અને અનર્થ થી ભરેલા અર્થ (ધન) ને,
--તેમ
જ આ બંને ના કારણ-રૂપ ધર્મ ને પણ ત્યજી દઈ,
--સર્વત્ર
(સર્વ કર્મો નો) અનાદર કર. (૧)
મિત્ર,જમીન,ધન,ઘર,સ્ત્રી,પુત્ર,સગાંસંબધી વગેરે ને ,તું,
--તે
બધાં સ્વપ્ન કે ઇન્દ્રજાલ (જાદુગીરી) ની જેમ માત્ર ત્રણ કે પાંચ દિવસ માટેનાં જ
છે,તેમ જો. (૨)
જ્યાં
જ્યાં તૃષ્ણા છે,ત્યાં સંસાર (બંધન) છે,એમ સમજ.માટે,
--બળવાન
વૈરાગ્ય નો આશરો લઇ ને તૃષ્ણા વગરનો થઇ સુખી થા.
(૩)
તૃષ્ણા
એ બંધન નું સ્વ-રૂપ છે,અને તૃષ્ણા નો નાશ એ જ મોક્ષ છે.
--સંસાર
પ્રત્યે ની અનાસક્તિ માત્રથી જ વારંવાર આત્મા ની પ્રાપ્તિ અને તૃપ્તિ થાય છે. (૪)
તું
એક શુદ્ધ અને ચેતન (આત્મા) છે અને જગત જડ અને અસત્ છે,
--જે
અવિદ્યા (અજ્ઞાન) કરીને કહેવાય છે તે પણ કાંઇ નથી (અસત્ છે) તો પછી,
--કાંઇ
જાણવાની (કે બનવાની) ઈચ્છા તને કેમ હોઈ શકે ?
(૫)
રાજ્ય,પુત્રો,પત્નીઓ,શરીરો
અને સુખો માં તું આસક્ત હતો,
--છતાં
પણ જન્મો-જન્મ માં તે બધાં નાશ પામી ગયાં.
(૬)
અર્થ,કામ
અને સુકૃત કર્મો પણ હવે બસ થયાં, આ બધાં થી પણ,
--સંસાર-રૂપ
વનમાં (તારું) મન શાંત થયું નહિ.
(૭)
કેટલાયે
જન્મો માં તેં શરીર ,મન અને વાચા વડે,પરિશ્રમ આપવાવાળાં
--દુઃખ
દાયક કર્મો કર્યા છે,તો હવે તો શાંત થા!!!
(૮)
પ્રકરણ-૧૦-સમાપ્ત-અનુસંધાન-પ્રકરણ-૧૧