ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
સ્કંધ-૧૦ (પૂર્વાર્ધ)-૧૧૬
ભગવાન
ને ક્યાંય શોધવા જવાના નથી,પણ આ જે ભગવાન મળેલા છે તેનો અનુભવ કરવાનો છે.જે
પ્રાપ્ય (મળેલું છે-જે ભગવાન મળેલા છે) તેની જ પ્રાપ્તિ કરવાની છે.
પ્રભુ
નો સાક્ષાત્કાર થાય એટલે શું ભગવાન બહારથી આવે છે ? ના.....
આ
જીવ માં જે ભગવાન છે (આત્મા) તેનો જ અનુભવ થાય છે.
પણ
જીવને અજ્ઞાનને લીધે,વાસનાને લીધે,અહમ ને લીધે તે પરમાત્મા નો અનુભવ થતો નથી.
બુદ્ધિ
માં રહેલી વાસના ના વસ્ત્ર નો પડદો પ્રભુ “કૃપા” કરે તો જ દૂર થાય છે.
અને
પ્રભુ “કૃપા” ક્યારે કરે ? તો કહે છે કે-“જયારે પ્રભુના બનીએ ત્યારે”
ભાગવત
માં ભગવાન કહે છે કે-(ભાગવત-૧૦-૨૨-૨૬)
“જેણે
પોતાની બુદ્ધિ ને મારામય કરી હોય (મારામાં જ સ્થાપી હોય) –
તેઓને
સંસારિક “વિષયભોગ” માટે નો સંકલ્પ (ઈચ્છા) થતો નથી, પણ
માત્ર
મોક્ષ મેળવવાનો જ સંકલ્પ (ઈચ્છા) થાય છે.
કારણ
કે જેવી રીતે શેકેલું ધાન્ય ફરીથી અંકુરિત થઇ શકતું નથી, તેવી રીતે જેમની
બુદ્ધિમાંથી વાસનારૂપી અંકુર નષ્ટ થયો તેમની
બુદ્ધિમાં કામવાસના ફરીથી અંકુરિત થતી નથી. (સ્ફુરતી નથી)”
જીવનું
ઈશ્વર સાથે મિલન (રાસ) ક્યારે થાય ?
કનૈયા
ની અગાઉ ની લીલા નો સંક્ષિપ્ત સાર જોતાં તેનું રહસ્ય સમજાશે.
--પહેલાં
પૂતના વધ-એટલે અવિદ્યા (અજ્ઞાન) નો નાશ થવો જોઈએ.
--અવિદ્યા
જાય એટલે સંસાર નું ગાડું સુધરે છે. (શકટાસૂર વધ)
--સંસાર
નું ગાડું સુધરે એટલે તૃણાવર્ત મર્યો,એટલે કે રજોગુણ નો નાશ થયો.સત્વગુણ વધ્યો.
--રજોગુણ
મર્યો,એટલે માખણચોરી ની લીલા આવી. શ્રીકૃષ્ણ મન ની ચોરી કરે છે,જીવન સાત્વિક બને
છે.
--જીવન
સાત્વિક બને તો સંસાર ની આસક્તિ નષ્ટ થાય તે બતાવવા દહી ની ગોળી ફોડી.
--સંસાર
ની આસક્તિ જાય તો પ્રભુ બંધાય.(દામોદર લીલા)
--પ્રભુ
બંધાયા એટલે દંભ મર્યો,પાપ-તાપ દૂર થયાં એટલે આવી બકાસુર-અઘાસુર વધ ની લીલા.
--સંસાર
નો તાપ દૂર થયો,સંસાર-દાવાગ્નિ શાંત થયો એટલે ઇન્દ્રિયો ની શુદ્ધિ થઇ, અને
--અંતઃકરણ
ની વાસનાનો નાશ થયો તે બતાવવા નાગદમન લીલા અને પ્રલંબાસુર ની લીલા.
--જીવ
ઈશ્વર ને મળવાને લાયક થતો ગયો એટલે વેણુગીત ની વાંસળી (નાદબ્રહ્મ) સંભળાઈ.
--નાદબ્રહ્મ
ની ઉપાસના થઇ એટલે આવી ગોવર્ધનલીલા.
ગો
એટલે ઇન્દ્રિયો,ઇન્દ્રિયો નું વર્ધન થયું એટલે ઇન્દ્રિયો પુષ્ટ બની,ભક્તિરસ થી
ઇન્દ્રિયો પુષ્ટ બને
છે. ઇન્દ્રિયો પુષ્ટ થાય તો ષડરસનો પરાભવ થાય.
(વરુણ દેવ નો પરાભવ ની લીલા)
--ષડરસનો પરાભવ થયો,જીવ શુદ્ધ થયો,કોઈ વાસના નું
આવરણ ના રહ્યું,એટલે થઇ ચીરહરણ લીલા.
વાસના નિર્મૂળ થાય ત્યારે રાસલીલા થઇ. જીવ અને
બ્રહ્મ ની એકતા થઇ.
રાસલીલા માં સ્ત્રી અને પુરુષ નું મિલન નથી પણ
પુરુષોત્તમ સાથે શુદ્ધ જીવ નું મિલન છે.
ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત