ભક્તિ વગર નું જ્ઞાન હોય તે વધારે બોલે છે, તે જ્ઞાની માં વાચાળતા આવે છે.
સ્કંધ-૧૦ (પૂર્વાર્ધ)-૧૬૪
ઉદ્ધવ,મને મારી પ્યારી ગાયો યાદ આવે છે,મને મારા ગ્વાલ-મિત્રો યાદ આવે છે.અમે ગાયો ચરાવવા જતા તે રસ્તે ગ્વાલ-મિત્રો અમારી પ્રતીક્ષા કરતા હતા ને પોતાને ઘેરથી જે કંઈ લઇ ને આવે તે સહુ પ્રથમ પ્રેમથી,મને ખવડાવતા,અને તે પછી મારા માટે કુમળાં પર્ણોની (પાનો ની) પથારી કરી ને મને સુવડાવતા.
વળી
મારી ગાયો ને પણ સાચવે,આ મિત્રો ને હું ભૂલી શકતો નથી.
ઉદ્ધવ,
જયારે કાલિયનાગ ને નાથવા હું યમુના ના ધરામાં કુદી પડેલો,ત્યારે મારી ગાયો રડતી
હતી,છેવટે
હું જયારે બહાર આવ્યો ત્યારે જ ગાયો ને આનંદ થયો,મને તે મારી ગાયો યાદ આવે છે.મને
ગોકુળ ની ગોપીઓ યાદ આવે છે.
ઉદ્ધવ,
વૃંદાવન ની પ્રેમ ભૂમિ છોડીને હું અત્રે આવ્યો છું તેથી હું આનંદ માં નથી.
અહિયાં
તો તમે બધાંએ મને રાજા બનાવ્યો, અહીં બધાં મને વંદન કરે માન આપે,મને મથુરાનાથ કહે.
પણ
પ્રેમથી કોઈ મારી સાથે વાતો કરતુ નથી.મને પ્રેમથી કોઈ બોલાવતું નથી.
લોકોએ
મને મથુરા નો રાજા બનાવ્યો,પણ વ્રજ જેવો પ્રેમ અહીં ક્યાં છે ?
તેથી
વ્રજ મને ભુલાતું નથી,મારી મા જેવો,બાબા જેવો,ગોપીઓ જેવો કે મિત્રો નો પ્રેમ અહીં
ક્યાં છે ?
ઉદ્ધવ,આ
કૃષ્ણ તો પ્રેમ નો ભૂખ્યો છે,તેને બીજી કોઈ અપેક્ષા નથી.મને કોઈ માન ની નહિ,પ્રેમ
ની ભૂખ છે.
ઉદ્ધવ
જ્ઞાની છે,પણ પ્રેમલક્ષણા ભક્તિ નો મહિમા કેવો છે તે જાણતા નથી.ઉદ્ધવ માં જ્ઞાન
નું અભિમાન છે,
તેથી
શ્રીકૃષ્ણ ને ઉપદેશ આપે છે.
“આપ
નાના હતા ત્યારે વ્રજમાં ગોપ-બાળકો સાથે બહુ રમતા હતા તેવું મેં સાંભળ્યું છે,પણ
હવે તમે
મથુરાના
રાજા થયા છો,તેથી એ ગામડાના ગોવાળો સાથે રમવાનો વિચાર પણ કરશો નહિ,
એ
વ્રજવાસીઓ ને ભૂલી જાવ,વ ગોકુળ ને ભૂલી જશો,તો જ આપને મથુરાની રાજ-સંપત્તિ માં,
મથુરા
ના ઐશ્વર્ય માં આનંદ આવશે.
જ્ઞાનાભિમાન
માં ઉદ્ધવ ને ભાન નથી કે તે કોને ઉપદેશ આપે છે!!!
પ્રભુ
એ કહ્યું કે-ઉદ્ધવ તું મને વ્રજ ને ભૂલવાનો ઉપદેશ આપે છે,પણ હું શું કરું?
હું
સર્વ ને ભૂલી શકું પણ વ્રજ મને ભૂલાતું નથી,પ્રયત્ન કરું છું,પણ સફળતા મળતી નથી.
પ્રેમ
અન્યોન્ય છે,કદાચ વ્રજવાસીઓ મને બહુ યાદ કરતા હશે,એટલે જ તેમનું મને સ્મરણ થાય છે.
હવે,એક
જ ઉપાય છે કે,વ્રજવાસીઓ મને ભૂલે,એવો વેદાંત નો (જ્ઞાન નો) ઉપદેશ તું વ્રજ માં જઈ
ને
કરજે,
જેથી તેઓ મને ભૂલે તો તે પછી હું તેમને ભૂલી શકું.તો જ મને મથુરામાં આનંદ મળશે.
વ્રજવાસીઓ
એ મારા માટે સર્વ સુખો નો ત્યાગ કર્યો છે,મેં તેઓને કહેલું કે –હું આવીશ.
એટલે
મારી પ્રતીક્ષા માં તેઓએ તેમના પ્રાણ ટકાવી રાખ્યા છે.
મા
વિચારે છે કે-કનૈયો આવી ને બધાને પૂછશે કે મારી મા,ક્યાં છે?હું ના હોઉં તો લાલા
ને બહુ દુઃખ થશે.
એટલે
મા એ પ્રાણ ટકાવ્યા છે.વિરહમાં એ રડે છે,પણ પ્રાણ છોડતી નથી.
તું
એમને નિરાકાર,નિર્ગુણ બ્રહ્મ નો ઉપદેશ કર,તેઓ નિર્ગુણ બ્રહ્મ ના ઉપાસક બને,તેઓ મને
ભૂલી જાય,
તો
હું તેમણે ભૂલી શકીશ.
ભક્તિ વગર નું જ્ઞાન હોય તે વધારે બોલે છે, તે
જ્ઞાની માં વાચાળતા આવે છે.
ઉદ્ધવ નું જ્ઞાન ભક્તિ વગરનું છે તેથી હવે ઉદ્ધવ
કહે છે કે-તમને વધારે શું કહું ? પણ તમે મને વ્રજ માં મોકલો છો,તેના કરતાં,દર
અઠવાડિયે એક પત્ર લખો,એટલે ત્યાંથી પણ જવાબ આવશે.
પત્ર વાંચવાથી મિલન ના જેવો આનંદ થશે.
ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત